રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ30 એપ્રિલ, 2025| Super Admin

પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે નવા વર્ષની ખેતીનો પૂજા-પાઠ અને મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કર્યો

પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે નવા વર્ષની ખેતીનો પૂજા-પાઠ અને મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કર્યો
સમય પરિવર્તન સાથે ગાડા-બળદ ની જગ્યાએ ખેડૂતોએ ટ્રેક્ટર ની પૂજા કરી અખાત્રીજના પવિત્ર દિવસે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા વર્ષની ખેતીની પુંજા વિધિ સાથે શુભ શરૂઆત કરી હતી; અખાત્રીજ ના આ પવિત્ર દિવસને વણજોયા મુહૂર્તનો દિવસ માનવામાં આવે છે. ત્યારે ખેડૂતોએ ટ્રેક્ટર અને ખેતીના ઓજારોની પૂજા વિધિ પરિવારની દીકરીઓના હસ્તે કરાવી હતી. ખેડૂતોએ ટ્રેક્ટરને કુમકુમ તિલક કરી,લાલ નાડાછડી બાંધી અને શ્રીફળ વધેર્યું હતું. ઉગમણી દિશા તરફ ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું.તો ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી અને ગોળ-ધાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પહેલાના સમયમાં હળ અને બળદથી ખેતી થતી હતી, પરંતુ આધુનિક સમયમાં ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવે છે. ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી ઉતારી હતી. આવનારું વર્ષ સફળ રહે અને કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખેડૂત પરિવારોમાં અખાત્રીજના દિવસે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો ધરતીને માતા સમાન માને છે. વાવેતર કરેલા પાકનો સારો ઉતારો મળે તે માટે શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હોવાનું પાટણ સમીપ અનાવાડા ગામના ખેડૂત મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર