ઊંઝા શહેરમાં આવેલ શ્રી નમેણ માતાજી મંદિરે 66 કેવી હેવી વીજપોલ નાંખવાની અગાઉ થયેલ શરૂઆતને લઈ તે અનુસંધાને અસર કરતા ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 66 કેવી વીજપોલ નાખવાની શરૂઆત અગાઉ થયેલ જે અનસુધાને અસર કરતા ખેડૂતોની હિત રક્ષિત કમિટીની રચના કરી તેમજ જેટકો દ્રારા ખેડૂતોની સમિતિ લીધા વગર વીજ લાઇન નખાતી હતી.
તેનો સખ્ત વિરોધ કરી કલેકટરે વળતર મુદ્દે ખેડૂતોની એક પેનલ બનાવવાની મંજૂરી આપેલ છે. તે અનુસંધાને આજે ખેડૂતોની સંમિત લઈ પાંચ ખેડૂતોના નામ કલેક્ટર સાથે અને વેલ્યુએશન બાબતે ચર્ચા કરવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી સરકાર કલેકટર અને ખેડૂત સાથે તાલમેલ કરી આગળની કાર્યવાહી કરશે.





