રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ10 ઑક્ટોબર, 2025| Super Admin

પાટણની વસ્ત્રાસર કેનાલમાં ભંગાણ સજૉયા બાદ તેનું સમારકામ હાથ નહિ ધરાતા ખેડૂતો અને રહિશો પરેશાન

પાટણની વસ્ત્રાસર કેનાલમાં ભંગાણ સજૉયા બાદ તેનું સમારકામ હાથ નહિ ધરાતા ખેડૂતો અને રહિશો પરેશાન
દૂષિત પાણી આજુબાજુના ખેતરો ફરી વળવાની સાથે કેનાલ પરની રોયલ હોમ્સના મકાનોમાં તિરાડો પડી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહિ આવે તો રહીશો અને ખેડૂતો તંત્ર સામે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરે તેવી સંભાવના વસ્ત્રાસર કેનાલમાં લાંબા સમયથી પડી રહેલા ભંગાણને કારણે દુષિત પાણી આજુબાજુના ખેડૂતો ના ખેતરમાં ફરી વળ્યાં છે તો કેનાલ પરની રોયલ હોમ્સ સોસાયટીના રહીશોના મકાનોમાં તિરાડો પડતાં મોટું નુકશાન ભોગવવાની સાથે રહિશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.કેનાલમાંથી ગટરનું દૂષિત પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ ગયું છે, જેનાથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ દૂષિત પાણીને કારણે સોસાયટીના મકાનોમાં તિરાડો પડી રહી છે અને ઘરો બેસી જવાનો ભય ઊભો થયો છે.દૂષિત પાણી ભરાવાને કારણે વિસ્તારમાં ઝેરી જીવ જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, જે હવે લોકોના ઘરો તરફ વળી રહ્યા છે. સોસાયટીની જમીનમાં સતત ભેજ રહેવાથી રહેણાંક મકાનોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘણા મકાનોની દીવાલોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ચૂકી છે.આવ વિસ્તારના રહીશ એ જણાવ્યું કે કેનાલમાં ઘણા સમયથી ગાબડું પડ્યું છે. આ દૂષિત પાણીના કારણે બાળકો બીમાર પડી રહ્યા છે અને ગંદકીમાં રહેવું મુશ્કેલ બન્યું છે. સિંચાઈની કેનાલમાં ભંગાણથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.આ ગંભીર સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં, આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દૂષિત પાણીના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી. રહીશો છેલ્લા 12 મહિનાથી સિંચાઈ વિભાગ, કલેક્ટર અને ચીફ ઓફિસરને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ સાંભળતું નથી. તેઓ કેનાલનું ગાબડું પૂરવા અને પાળો બનાવવાની માંગ કરી રહ્યા છે.રહીશો તંત્રની બેદરકારીથી ભારે રોષે ભરાયા છે અને પોતાના જીવ તથા માલ-મિલકત ની સલામતી અંગે ચિંતિત છે.ત્યારે ભાજપ સરકાર પર પણ લોકો પ્રશ્ન ઉઠાવી કહી રહ્યા છે કે ભાજપ વિકાસના કામ કરવાનો દાવો કરે છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું. જો સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિ આવે તો આ વિસ્તારના ખેડૂતો અને રહિશો તંત્ર સામે ગાંધી ચિધ્યા માર્ગ પર આંદોલન કરવાના મૂડમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર