રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ7 જૂન, 2025| Super Admin

જીલ્લા મથક પાટણ ખાતે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી શરુ કરવા એકલવ્ય જનસેવા ટ્રસ્ટની રજૂઆત

જીલ્લા મથક પાટણ ખાતે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી શરુ કરવા એકલવ્ય જનસેવા ટ્રસ્ટની રજૂઆત

ગતરોજ ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રાલય ના કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ પાટણ એકલવ્ય જનસેવા ટ્રસ્ટ ના પ્રમુખ સુનીલભાઈ જે. ભીલે આદિજાતિ વિકાસ મંત્રાલય ના કેબીનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર ને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે પાટણ જીલ્લામાં અનુસુચિત જન જાતિની અંદાજીત અઢાર હજારની જન સંખ્યા છે. પાટણ જીલ્લાના અનુસુચિત જન જાતિના લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી પગભર થયો છે. તેમ છતાં અનુસુચિત જન જાતિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે પાટણ જીલ્લામાં આદિજાતિ ના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને અનુસુચિત જન જાતિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી,પાલનપુર જી.બનાસકાંઠા ખાતે જવું પડે છે. ત્યારે જીલ્લાના વડા મથક પાટણ ખાતે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી શરુ કરવામાં આવે તેવી રજુઆત સાથે ગુજરાત રાજ્યની કેટલીક યુનિવર્સીટીઓ સંલગ્ન કોલેજો અને શૈક્ષણિક સંથાઓમાં અનુસુચિત જન જાતિના વિધાર્થીઓ ફ્રી શીપ કાર્ડ યોજનાનું કાર્ડ રજુ કરવામાં આવે છે તેમ છતાં ફ્રી શીપ કાર્ડ યોજનાનું કાર્ડ સ્વીકારવામાં આવતું નથી અને ફી ભરવા જણાવવામાં આવે છે તેમજ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી, પાટણ સંલગ્ન કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસુચિત જન જાતિના વિધાર્થીઓ પ્રવેશ મેળવે ત્યારે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી, પાલનપુર જી.બનાસકાંઠા દ્વારા ફ્રી શીપ કાર્ડ યોજનાનું કાર્ડ કાઢી આપવામાં આનાકાની કરતા હોય છે જે અંગે ઘટતી કાર્યવાહી કરવાની માગ સાથે તેઓએ મંત્રી ને લખિત રજૂઆત કરતાં આ મામલે મંત્રી એ યોગ્ય કરવાની હૈયાધારણા આપી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર