રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય2 ઑગસ્ટ, 2025

અનિલ અંબાણી વિરુદ્ધ ઈડીની લુકઆઉટ નોટીસ; 5 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવાયા

અનિલ અંબાણી વિરુદ્ધ ઈડીની લુકઆઉટ નોટીસ; 5 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવાયા
ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ લુક આઉટ જારી કરવામાં આવ્યો છે. ઈડીએ તેમને 5 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યા છે. 17,000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં ઈડીએ અનિલ અંબાણીને સમન્સ મોકલ્યા છે. તેમને 5 ઓગસ્ટે દિલ્હી સ્થિત ઈડી મુખ્યાલયમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, ઈડીએ રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત મુંબઈમાં લગભગ 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 50 કંપનીઓ અને 25 લોકો સામેલ હતા. આ તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ  હેઠળ કરવામાં આવી રહી છે. ઈડી મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા; સૂત્રોના જણાવ્યા અનુસાર, અંબાણીને દિલ્હી સ્થિત ઈડી મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા છે કારણ કે ત્યાં કેસ નોંધાયેલ છે. એજન્સી તેમની પૂછપરછ દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધશે. એવું માનવામાં આવે છે કે આ સમન્સ રિલાયન્સ ગ્રુપ કંપનીઓ દ્વારા લેવામાં આવેલી બેંક લોનના કથિત દુરુપયોગ અને નાણાકીય અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં મોકલવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર