બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ખેડૂતોએ રાસાયણિક ખાતરોના તાજેતરમાં થયેલા ભાવ વધારા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં આ ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે. ડીસાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઉનાળામાં અચાનક વહેલા વરસાદને કારણે બાજરી અને મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટમાં છે. આ સંજોગોમાં રાસાયણિક ખાતરોના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે વધુ એક મોટો ફટકો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "આ ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. જ્યારે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ત્યારે ખાતરના ઊંચા ભાવ ખેતીને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. "સંગઠને સરકારને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતોની આ વેદનાને સમજે અને રાસાયણિક ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચે, જેથી ખેડૂતોને રાહત મળી શકે. આ અંગે વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ડીસામાં ખાતરના ભાવ વધારા બાબતે નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાદાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ લીધો
13 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી પોલીસે છ વર્ષથી નાસતો ફરતો ખૂનનો આરોપી ઝડપી પડ્યો
13 કલાક પહેલા
બનાસકાંઠાઉત્તર ગુજરાત વીજ કંપનીનો છબરડો ચિત્રાસણીમાં વીજ ધારકને રૂ.1.06 લાખનું તોતિંગ વીજ બિલ ફટકાર્યું
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો
14 કલાક પહેલા
