બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ખેડૂતોએ રાસાયણિક ખાતરોના તાજેતરમાં થયેલા ભાવ વધારા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં આ ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે. ડીસાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઉનાળામાં અચાનક વહેલા વરસાદને કારણે બાજરી અને મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટમાં છે. આ સંજોગોમાં રાસાયણિક ખાતરોના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે વધુ એક મોટો ફટકો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "આ ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. જ્યારે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ત્યારે ખાતરના ઊંચા ભાવ ખેતીને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. "સંગઠને સરકારને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતોની આ વેદનાને સમજે અને રાસાયણિક ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચે, જેથી ખેડૂતોને રાહત મળી શકે. આ અંગે વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
બનાસકાંઠા5 ઑગસ્ટ, 2025
ડીસામાં ખાતરના ભાવ વધારા બાબતે નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
22 મિનિટ પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
