રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

દિયોદર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવાની માંગ

દિયોદર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવાની માંગ

દિયોદર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામેલ તાલુકામાં બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના લીધે બાજરી, મગફળી, કપાસ, ગવાર, ઘાસચારો તેમજ દાડમ, જામફળ જેવા બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે, જેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે આજરોજ દિયોદર તાલુકાના સરપંચો એકઠા થઇ સરકારને વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આજે સરપંચોએ ધારાસભ્ય, મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોના નુકસાનનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી હતી. ખેડૂતોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને આર્થિક મદદ કરવી જોઈએ તેવી માંગ સૌએ કરી હતી.

સંબંધિત સમાચાર