રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

દિયોદર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવાની માંગ

દિયોદર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવાની માંગ

દિયોદર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામેલ તાલુકામાં બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના લીધે બાજરી, મગફળી, કપાસ, ગવાર, ઘાસચારો તેમજ દાડમ, જામફળ જેવા બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે, જેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે આજરોજ દિયોદર તાલુકાના સરપંચો એકઠા થઇ સરકારને વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આજે સરપંચોએ ધારાસભ્ય, મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોના નુકસાનનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી હતી. ખેડૂતોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને આર્થિક મદદ કરવી જોઈએ તેવી માંગ સૌએ કરી હતી.

સંબંધિત સમાચાર