રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય15 મે, 2025| Super Admin

દિલ્‍હીથી બિહાર જતી બસમાં આગ લાગી : ૫ મુસાફરો જીવતા બળીને મૃત્‍યુ પામ્‍યા

દિલ્‍હીથી બિહાર જતી બસમાં આગ લાગી : ૫ મુસાફરો જીવતા બળીને મૃત્‍યુ પામ્‍યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક હૃદયદ્રાવક અકસ્‍માત થયો. અહીં મોહનલાલગંજ વિસ્‍તારમાં, દિલ્‍હીથી બિહાર જઈ રહેલી એક સ્‍લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ. આ અકસ્‍માતમાં ૫ લોકો જીવતા બળી ગયા હતા, જ્‍યારે બસમાં લગભગ ૬૦ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઇવરે કાચ તોડી નાખ્‍યો, બસમાંથી કૂદીને ભાગી ગયો. આગ એટલી ભયંકર હતી કે માત્ર ૧૦ મિનિટમાં જ તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ.મળતી માહિતી મુજબ, આ ઘટના લખનૌના મોહનલાલગંજ વિસ્‍તારમાં કિસાન પથ પર બની હતી, જ્‍યારે દિલ્‍હીથી બિહાર જઈ રહેલી એક ખાનગી સ્‍લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્‍માત ત્‍યારે થયો જ્‍યારે મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે માત્ર ૧૦ મિનિટમાં આખી બસ બળીને રાખ થઈ ગઈ. બસમાં મુસાફરી કરતા મુસાફરોએ જણાવ્‍યું કે ધુમાડાને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આગ લાગતાની સાથે જ અફડાતફડી મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે દરવાજા અને બારીઓ તરફ દોડ્‍યા, પરંતુ ડ્રાઇવરની વધારાની સીટ રસ્‍તો રોકી રહી હતી. ઘણા મુસાફરો તેમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા અને બહાર નીકળી શકયા નહીં.સ્‍થાનિક લોકોના જણાવ્‍યા મુજબ, આગ એટલી ભીષણ હતી કે તે એક કિલોમીટર દૂરથી પણ દેખાતી હતી. અકસ્‍માતની જાણ થતાં જ નજીકના વિસ્‍તારના લોકો ઘટનાસ્‍થળે પહોંચી ગયા અને પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્‍યો, પરંતુ ત્‍યાં સુધીમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્‍માતમાં ૫ મુસાફરો જીવતા બળી ગયા હતા, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી. અન્‍ય મુસાફરોને સમયસર બસમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા.પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, બસ ડ્રાઇવરે પહેલા કાચ તોડ્‍યો અને બસમાંથી કૂદીને ઘટનાસ્‍થળેથી ભાગી ગયો. અકસ્‍માત પછી તેનો કોઈ પત્તો લાગ્‍યો નથી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને અકસ્‍માતના કારણોની તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર