રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
મહેસાણા17 જાન્યુઆરી, 2026| Super Admin

વિસનગરમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

વિસનગરમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

વિસનગરમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત વર્ષે સરકારી અનાજ સગેવગે કરનાર બિપીન પટેલ સહિત 3 સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગત વર્ષે પકડેલ આ જથ્થાના બનાવવામાં વિસનગર શહેર પોલીસે બે ફરિયાદ દાખલ કરી હતી.જેમાં વિસનગર શહેરમાં ગત વર્ષે પકડાયેલા શંકાસ્પદ ઘઉં અને ચોખાના નમૂનાનો રિપોર્ટ સરકારી અનાજ હોવાનું સાબિત થતા, આખરે મામલતદાર દ્વારા ત્રણ શખ્સો પર ફરિયાદ કરવામાં આવી છે. જે બાબતે અગાઉ વિરુદ્ધ બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ગત વર્ષે તા: 21 ડિસેમ્બર 2024ના રોજ નાયબ મામલતદાર વાય.એમ.શર્મા દ્વારા વિસનગરના મહેસાણા રોડ પર આવેલી 'ફુલેશ્વરી કિરાણા સ્ટોર' અને અન્ય દુકાનોમાં તપાસ હાથ ધરાવામાં આવી હતી. જેમાં ઘઉં અને ચોખાના જથ્થાને સગેવગે કરતા અને સરકારી અનાજના જથ્થાની હેરાફેરી કરતાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને જેમના ત્યાંથી ઘઉં ચોખા સહિતના સરકારી અનાજના જથ્થાના તપાસ માટે લેવામાં આવ્યા હતાં જે અનાજના નમૂના ગાંધીનગર લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. નમૂનાઓમાં 'ફોર્ટીફાઈડ રાઈસ' (FRK)ની હાજરી મળી આવતા તે અનાજ સરકારી હોવાની પુષ્ટિ થઈ હતી. કલેક્ટરના આદેશ બાદ, મામલતદાર દિનેશકુમાર પટેલે આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 316(2) અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર