માં સરસ્વતીના દર્શન કરી વિસ્તારની સુખ શાંતિ માટે માટે પ્રાર્થના કરાઈ; સિધ્ધપુર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે રવિવારે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલ નવા નીરના વધામણાં કર્યા હતા. ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલ રીવરફ્રન્ટની મુલાકાત લઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં સારો વરસાદના લીધે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે. જેથી સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારમાં આનંદ છવાયો છે. જેને લઇને આજે અમે માં સરસ્વતીના દર્શન કરી પૂજા અર્ચના કરી વિસ્તારની સુખ શાંતિ માટે માટે પ્રાર્થના કરી છે. આવનાર સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં ૩૬૫ દિવસ પાણી ભરાયેલ રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષો પહેલા સિદ્ધપુરમાં માં સરસ્વતી નદીની જે ભવ્યતા હતી તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીરના વધામણાં કરતાં કેબિનેટ મંત્રી

ટેગ્સ:#Local Governance#Balwantsinh Rajput#Water Conservation#Rainwater Harvesting#Prayers for Peace#Cabinet Minister Visit#Saraswati River#Siddhapur Riverfront#River Revival Project#Gujarat Development
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
3 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
3 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
3 દિવસ પહેલા
પાટણપાટણ : "પહેલા રોડ-રસ્તા બનાવો પછી જ મત આપશું", ચિત્રકૂટ સોસાયટીનો મક્કમ નિર્ધાર
4 દિવસ પહેલા
