પાટણના રેલવે ગરનાળા માગૅ પર આખલા યુદ્ધે અફરા-તફરી મચાવી

સ્થાનિકોએ લાકડીઓ વડે આખલા ઓને ભગાડતા લોકોએ રાહત અનુભવી
પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારમાં મંગળવારે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા અફરા તફરી મચી જવા પામી હતી. શહેરના ભરચક વિસ્તારમાં આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. સ્થાનિક લોકોએ લાકડીઓનો ઉપયોગ કરી આખલાઓને વિસ્તારમાંથી ભગાડ્યા હતા, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ નગરપાલિકાની રખડતા ઢોર નિયંત્રણની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના જાહેર માર્ગો પર વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાથી લોકોનું માનવું છે કે પાલિકાની ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે.
નગર પાલિકાની રખડતા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ અસરકારક ન હોવાનું સ્પષ્ટ થયું છે. આવી ઘટનાઓ શહેરીજનોની સલામતી માટે જોખમરૂપ બની રહી છે. લોકોમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.પાલિકા તંત્ર દ્વારા શહેર માથી રખડતાં ઢોરની સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવા લોક માગ ઉઠવા પામી છે.
ટેગ્સ:#Patan city#public safety#Stray cattle#Municipal Administration#Local Response#Civic Issues#Bullfight#Railway Garnala Road#Chaos and Fear#Traders and Pedestrians
સંબંધિત સમાચાર
પાટણપાટણ કલેક્ટરનો નિર્ણય NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ લદાયો
1 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
2 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
2 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
3 દિવસ પહેલા
