ભારત રત્ન પુર્વ કાનુન મંત્રી અને સીમબોલ ઓફ કનોલેજ એવાં ડો.ભીમરાવ આંબેડકર વિરુદ્ધ સંસદમાં અસંવૈધાનિક શબ્દ પ્રયોગ કરી બંધારણ અને બાબાસાહેબ આંબેડકરનું અને સંસદનું જાહેર અપમાન કર્યું છે તે લોકશાહીનું ખુન બરાબર છે. આ અંગે સમગ્ર દેશમાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે. ત્યારે કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો માંડીને અમિત શાહ માફી માગે અને રાજીનામું આપે તે માટે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી અને શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપ ડાભીના નેત્રુત્વમાં કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતું. સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી કલેક્ટર કચેરીએ ધરણાં કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
મહેસાણા ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાએ ગ્રુહ મંત્રી વિરુદ્ધ જીલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
મહેસાણાકડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: ૨૩.૪૧ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણાની મહિલા પોલીસ તાલીમાર્થી સાથે છેતરપિંડી: UK વિઝાના નામે ₹25 લાખનો ચૂનો
2 દિવસ પહેલા
મહેસાણાલાંઘણજ પોલીસ એક્શન મોડમાં: ભાસરીયા ચોકડી નજીકથી ૪ ડમ્પર ડિટેઇન
2 દિવસ પહેલા
મહેસાણાખેરાલુ હિટ એન્ડ રન: દારૂડિયા કાર ચાલકે એકને કચડ્યો, શંકાસ્પદ નંબર પ્લેટ જપ્ત
2 દિવસ પહેલા
