ભારત રત્ન પુર્વ કાનુન મંત્રી અને સીમબોલ ઓફ કનોલેજ એવાં ડો.ભીમરાવ આંબેડકર વિરુદ્ધ સંસદમાં અસંવૈધાનિક શબ્દ પ્રયોગ કરી બંધારણ અને બાબાસાહેબ આંબેડકરનું અને સંસદનું જાહેર અપમાન કર્યું છે તે લોકશાહીનું ખુન બરાબર છે. આ અંગે સમગ્ર દેશમાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે. ત્યારે કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો માંડીને અમિત શાહ માફી માગે અને રાજીનામું આપે તે માટે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી અને શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપ ડાભીના નેત્રુત્વમાં કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતું. સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી કલેક્ટર કચેરીએ ધરણાં કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
મહેસાણા ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાએ ગ્રુહ મંત્રી વિરુદ્ધ જીલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણાના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં ભીષણ આગ; અફરાતફરીનો માહોલ
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
6 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે
6 દિવસ પહેલા
