રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય6 એપ્રિલ, 2025| Super Admin

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડીને Z કેટેગરીની કરવામાં આવી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડીને Z કેટેગરીની કરવામાં આવી

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાની કરી સમીક્ષા

(જી.એન.એસ) તા. 5

નવી દિલ્હી,

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા ઘટાડી દીધી છે. મળતી માહિતી અનુસાર, ગુરશરણ કૌરને હવે Z કેટેગરીની સુરક્ષા મળશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે સમીક્ષા બાદ દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની સશસ્ત્ર સુરક્ષા ઘટાડીને Z કેટેગરી કરી દીધી છે. ગત વર્ષ 26 ડિસેમ્બરે 92 વર્ષની ઉંમરમાં દિવંગત થયેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નજીકના પરિવારથી હોવાના કારણે તેમને પહેલા Z+ કેટેગરીની કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી હતી.

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તરફથી ગુરશરણ કૌરની સુરક્ષા હાલમાં કરાયેલી સમીક્ષામાં તેમને Z કેટેગરીમાં રાખવાની જોગવાઈ કરાઈ છે, જે સુરક્ષાનું બીજું સૌથી ઉચ્ચ સ્તર છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) વીઆઇપી સુરક્ષા વિંગને કૌર માટે Z કેટેગરી અનુસાર કર્મચારીઓની સંખ્યા અને પ્રોટોકોલ ઓછા કરવાનો નિર્દેશ અપાયો છે.

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ખાનગી સુરક્ષા સાથે તેમના ઘરની સુરક્ષા માટે અંદાજિત 12 સશસ્ત્ર કમાન્ડોની સુરક્ષા મળશે. તેમણે જણાવ્યું કે, સુરક્ષાના વર્ગીકરણમાં ફેરફારના કારણે પૂર્વ વડાપ્રધાન માટે મંજૂર દિલ્હી પોલીસ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરાયો છે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી પૂર્વ વડાપ્રધાન માટે વિશેષ સુરક્ષા સમૂહ અધિનિયમમાં ફેરફાર કરાયા બાદ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને 2019માં CRPFના ASL પ્રોટોકોલ સાથે Z+ કવર ઉપલબ્ધ કરાયું હતું. સ્વ. મનમોહન સિંહ 2004થી 2014 વચ્ચે બે વખત દેશના વડાપ્રધાન રહ્યા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર