રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા21 માર્ચ, 2026| Super Admin

પાલનપુરમાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી: ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ 'ખુતબા'ની નમાઝ અદા કરી

પાલનપુરમાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી: ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ 'ખુતબા'ની નમાઝ અદા કરી

પાલનપુર ખાતે આજે મુસ્લિમ બિરાદરો ના પવિત્ર તહેવાર રમઝાન ઇદ ની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. ઇદ ઉલ ફિત્રની ઉજવણી નિમિત્તે પાલનપુર ની ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી. પાલનપુરમાં કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ભારે હર્ષોલ્લાસ સાથે રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઇદ ઉલ ફિત્રની ઉજવણી પ્રસંગે શહેરના ગઠામણ દરવાજા પાસે આવેલી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા "ખુદબા" ની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. રમઝાન માસમાં એક મહિનાના રોઝા બાદ આજે ભારે ઉત્સાહપૂર્વક "રમઝાન ઇદ" ની ઉજવણી કરવામાં આવી હતી. ઇદ ઉલ ફિત્રની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકમેકને ઇદની મુબારકબાદી પાઠવી હતી. આ પ્રસંગે શહેર કાઝી સહિત ના મુસ્લિમ અગ્રણીઓએ દેશમાં નફરત નું વાતાવરણ દૂર કરી પ્રેમ અને મહોબ્બત ફેલાવવાનો સંદેશો આપતા કોમી એકતા પર ભાર મુકી દેશમાં અમન ઓર ચમન બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ વિશેષ નમાઝ અદા કરવા માટે પાલનપુર પંથક માંથી હજારો મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.    

સંબંધિત સમાચાર