ઊંઝા કરલી 66 કેવી વીજલાઇન માટે ખેડૂત ખાતેદારોની કલેક્ટર સમક્ષ રૂબરૂ સુનાવણી

પુન સર્વે કરી ત્યાં સુધી કોઇપણ પ્રકારની કામગીરી ન કરવા કલેકટર દ્વારા ફરમાન
ઊંઝા કરલી 66 કેવી વીજ લાઇન અન્યવે ઇન્ડિયન ટેલીગ્રામ એક્ટ 1985ની કાર્યવાહી બાબતે આજ રોજ ઊંઝાના ખેડૂત ખાતેદારો દ્રારા મહેસાણા કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર રહી વિવિધ મુદે રજુઆત કરાઈ હતી. જેને લઈ વીજ લાઇન કામગીરી કરનાર જેટકો કંપની દ્વારા ઊંઝાની ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિનાજ લે આઉટ પ્લાન બનાવેલ જેનો પુન સર્વે કરવા તેમજ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવા મહેસાણા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જેટકો દ્રારા 66 કેવી કરલી ઊંઝા સબ સ્ટેશન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે 132 કેવી કરલી સબ સ્ટેશનથી નવીન 66 કેવી કરલી ઊંઝા લાઈનને પ્રસ્થાપિત કરવાની કામગીરી કરવાનું કામને લઈ જેને લઈ આજે મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે ખેડૂતોની રૂબરૂ સુનાવણી આજે 12.30 કલાકે કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી હતી. જે અન્યવે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂત ખાતેદારો દ્રારા મહેસાણા કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર રહી વિવિધ મુદે રજુઆત કરાઈ હતી. જેમાં મુખ્યત્વે ઊંઝા કરલી 66 કેવી વીજ લાઇન કામગીરી કરનાર જેટકો કંપની દ્વારા ઊંઝાની ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિના જ લે આઉટ પ્લાન બનાવેલ જેનો પુન સર્વે કરવા તેમજ ત્યાં સુધી કોઇપણ પ્રકારની કામગીરી ન કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
2 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
2 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
3 દિવસ પહેલા
પાટણહારીજ પંથકમાં નરાધમતાની પરાકાષ્ઠા: સગીરા પર ત્રણ શખ્સોનો બળાત્કાર, ગુનો નોંધાયો
3 દિવસ પહેલા
