રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ3 માર્ચ, 2026| Super Admin

ઊંઝા કરલી 66 કેવી વીજલાઇન માટે ખેડૂત ખાતેદારોની કલેક્ટર સમક્ષ રૂબરૂ સુનાવણી

ઊંઝા કરલી 66 કેવી વીજલાઇન માટે ખેડૂત ખાતેદારોની કલેક્ટર સમક્ષ રૂબરૂ સુનાવણી
પુન સર્વે કરી ત્યાં સુધી કોઇપણ પ્રકારની કામગીરી ન કરવા કલેકટર દ્વારા ફરમાન ઊંઝા કરલી 66 કેવી વીજ લાઇન અન્યવે ઇન્ડિયન ટેલીગ્રામ એક્ટ 1985ની કાર્યવાહી બાબતે આજ રોજ ઊંઝાના ખેડૂત ખાતેદારો દ્રારા મહેસાણા કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર રહી વિવિધ મુદે રજુઆત કરાઈ હતી. જેને લઈ વીજ લાઇન કામગીરી કરનાર જેટકો કંપની દ્વારા ઊંઝાની ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિનાજ લે આઉટ પ્લાન બનાવેલ જેનો પુન સર્વે કરવા તેમજ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવા મહેસાણા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેટકો દ્રારા 66 કેવી કરલી ઊંઝા સબ સ્ટેશન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે 132 કેવી કરલી સબ સ્ટેશનથી નવીન 66 કેવી કરલી ઊંઝા લાઈનને પ્રસ્થાપિત કરવાની કામગીરી કરવાનું કામને લઈ જેને લઈ આજે મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે ખેડૂતોની રૂબરૂ સુનાવણી આજે 12.30 કલાકે કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી હતી. જે અન્યવે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂત ખાતેદારો દ્રારા મહેસાણા કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર રહી વિવિધ મુદે રજુઆત કરાઈ હતી. જેમાં મુખ્યત્વે ઊંઝા કરલી 66 કેવી વીજ લાઇન કામગીરી કરનાર જેટકો કંપની દ્વારા ઊંઝાની ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિના જ લે આઉટ પ્લાન બનાવેલ જેનો પુન સર્વે કરવા તેમજ ત્યાં સુધી કોઇપણ પ્રકારની કામગીરી ન કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.    

સંબંધિત સમાચાર