રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મનોરંજન4 જાન્યુઆરી, 2025| Super Admin

સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને નિયમિત જામીન મંજૂર

સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને નિયમિત જામીન મંજૂર

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા અભિનેતા અલ્લુ અર્જુન માટે સારા સમાચાર છે. કોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને નિયમિત જામીન આપ્યા છે. નામપલ્લી કોર્ટે પોતાના આદેશ જારી કર્યા છે. આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે, તેને તરત જ જામીન મળી ગયા હતા અને ધરપકડના બીજા દિવસે સવારે તેને છોડી દેવામાં આવ્યો હતો. હવે નામપલ્લી કોર્ટે પણ આ કેસમાં નિયમિત જામીન આપ્યા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અગાઉ, ફિલ્મનો પ્રીમિયર 4 ડિસેમ્બરની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. આ પ્રીમિયર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અલ્લુ અર્જુન અહીં પહોંચતા જ ચાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે હૈદરાબાદ પોલીસે ફરિયાદ નોંધીને અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે તેની ધરપકડ બાદ પણ કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આખી રાત જેલમાં રહ્યા બાદ બીજા દિવસે અલ્લુ અર્જુનને મુક્ત કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર