સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત “કિસાન મહાપંચાયત” માં ભાજપ સરકાર સામે જોરદાર રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. ખેતરોમાં નખાતા ગેરકાયદેસર વીજ થાંભલાના વિરોધમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આગામી ૫ જુલાઈએ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસ પર ઉતરવાનું મોટું એલાન કર્યું છે.
કિસાન મહાપંચાયતને સંબોધતા ખેડૂત પુત્ર ઈસુદાન ગઢવીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, કંપનીઓ અને ભાજપના નેતાઓ વચ્ચે મીટિંગ થઈ ચૂકી છે અને ખેડૂતોની જમીન પર ૧૦૦ જેટલી હાઈટેન્શન લાઈન હેઠળ દોઢ લાખ જેટલા થાંભલા નાખી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેમણે મુખ્યમંત્રી પાસે સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવી ખેડૂતોને નફામાં ભાગ આપવાની માંગ કરી છે. તો બીજી તરફ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના સત્રનો ઉલ્લેખ કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ખુદ કૃષિ મંત્રી ખેડૂતોની મજાક ઉડાવે છે કે આટલી સમસ્યાઓ છતાં મત તો ભાજપને જ મળે છે! મોટી કંપનીઓને આંદોલન વગર પાણી મળે છે જ્યારે સામાન્ય જનતાએ વલખાં મારવા પડે છે.
સુરેન્દ્રનગરમાં આપની કિસાન મહાપંચાયત, 5 જુલાઈએ ગાંધીનગરમાં ઈસુદાન ગઢવીના ઉપવાસ

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતમાં નવા 100 MTPD બાયો-CNG પ્લાન્ટનું ઉદ્ઘાટન
1 દિવસ પહેલા
ગુજરાતકચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, મોટી સંખ્યામાં બોટલો જપ્ત; બેની ધરપકડ
1 દિવસ પહેલા
ગુજરાતવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, આનંદીબેન પટેલ કરી રહ્યા હતા મુસાફરી
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાત પોલીસના કાફલામાં 500 નવા 'જન રક્ષક' વાહનો ઉમેરવામાં આવશે
2 દિવસ પહેલા
