નેશનલ સાયન્સ ડે અંતર્ગત પાટણ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો

વિધાર્થીઓ દ્રારા ૨૧ કૃતિઓ વિજ્ઞાન અંગેની અને ૮ કૃતિઓ અંધશ્રદ્ધા નિવારણ અંગેની બનાવી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ ખાતે નેશનલ સાયન્સ ડે અંગે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ ખાસ કરીને વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકનું જ્ઞાન ન મેળવે પરંતુ તેના વાસ્તવિક પરીક્ષણ રૂપે જુએ તે માટે પ્રાયોગિક કાર્યોનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓ દ્રારા ૨૧ કૃતિઓ વિજ્ઞાન અંગેની અને ૮ જેટલી કૃતિઓ અંધશ્રદ્ધા નિવારણ અંગેની બનાવી વિજ્ઞાનના મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
તો વિધાર્થીઓ દ્રારા તૈયાર કરવામાં આવેલ નાસ્તા સ્ટોલની પણ ઉપસ્થિતિ લોકો એ મુલાકાત લીધી હતી અને વિધાર્થીઓ ની વ્યવસ્થાને સરાહનીય લેખાવી હતી. આ વિજ્ઞાન મેળાના હેતુ માં વિજ્ઞાનના પાયાના ખ્યાલો દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયક વલણો વિકસે અને નાનપણ થી વિજ્ઞાન જેવી પ્રવૃતિઓમાં રસ દાખવે તે હેતુ થી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટેગ્સ:#patan#national#occasion#science fair#held at Patan#Science Day#21 works#Prevention of superstition#Gujarat Council#Science and Technology#Organization of science fair
સંબંધિત સમાચાર
પાટણવડાવલી તળાવમાં માટી ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા યુવાન દટાયો
1 દિવસ પહેલા
પાટણચાણસ્મામાં પ્રેમ સંબંધની અદાવત લોહીયાળ બની: એક જ પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોનો હુમલો
1 દિવસ પહેલા
પાટણગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે
1 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં શિક્ષકની જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
1 દિવસ પહેલા
