અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૯ જુલાઈ ૧૯૪૯ થી સતત વિધાર્થીઓના હિતમાં તથા કાર્યરત વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. વાવ-થરાદ પંથકના સરહદી વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શિક્ષક દ્વારા સૃષ્ટિની વિરુધ્ધ અયોગ્ય કૃત્ય કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો અંગે સમાચાર માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે. આ મામલે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાની પણ માહિતી સામે આવી છે.
જે સમગ્ર નિંદનીય ઘટનાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે. આ પ્રકારની ઘટના અંગે સમાજમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. શાળા જેવી પવિત્ર અને સુરક્ષિત જગ્યાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સલામતી જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.





