હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર નવો ઓવરબ્રિજ જૂન માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યો છે. 35 કરોડથી વધુના ખર્ચે બનેલા આ બ્રિજની લંબાઈ 1163 મીટર અને પહોળાઈ 25 મીટર છે.નવેમ્બર 2024માં શરૂ થયેલી આ બ્રિજની કામગીરી માત્ર સાત મહિનામાં પૂર્ણતાના આરે છે. હાલમાં અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. લોડ ટેસ્ટ બાદ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.અમદાવાદથી ઉદેપુર જતા નેશનલ હાઈવે 48 પર ચિલોડાથી શામળાજી સુધી કુલ 32 ઓવરબ્રિજ અને ત્રણ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. હાલમાં ગામડી, સરવણા અને ગડાદર પાસે બોક્સ બ્રિજની કામગીરી ચાલી રહી છે. રાયગઢ, ગાંભોઈ અને ગડાદર પાસે રેલવે ઓવરબ્રિજનું કામ પણ પ્રગતિમાં છે.પ્રાંતિજ બોખ, ચંદ્રાલા અને ચિલોડા વિસ્તારમાં પણ બોક્સ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ તમામ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. મોતીપુરા ઓવરબ્રિજ શરૂ થવાથી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
હિંમતનગરના મોતીપુરામાં 35 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ આકાર પામશે

ટેગ્સ:#government projects#Traffic Solutions#Motipura Overbridge#Himmatnagar Infrastructure#National Highway 48#Bridge Construction#Rs 35 Crore Investment
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
