રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા17 એપ્રિલ, 2025| Super Admin

મહેસાણાના કુકરવાડા ખાતે રૂ.૧.૭૧ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો

મહેસાણાના કુકરવાડા ખાતે રૂ.૧.૭૧ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 1.71 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવ નિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ વિજાપુરના ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું રીબીન કાપી તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાહન વ્યવહારની સુવિધાઓમાં દિવસે દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. આજે દરેક ગામમાં એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આજે કુકરવાડા ખાતે અત્યંત સુવિધાવાળું એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના થકી કુકરવાડા ગામ અને આજુબાજુના ગામ લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોડ રસ્તા સહિતના વિકાસના કામોને અગ્રતા આપી લોકોને સુવિધા મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. છેવાડાના લોકોને સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે અને જેનો લાભ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી રહ્યો છે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વિજાપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે કુકરવાડા ગામમાં અદ્યતન નવીન બસ સ્ટેશન બનવાથી ગામ સહિત આજુબાજુના વિસ્તારના લોકોને બહુ મોટો ફાયદો થશે. કારણકે કુકરવાડા વેપારી મથક હોવાથી અહીં આજુબાજુના ગામોનો વાહન વ્યવહાર રહેતો હોવાથી નવીન બસ સ્ટેશન બન્યા બાદ બસોના રૂટોમાં પણ વધારો થશે અને લોકોની આવન જાવન સુવિધા વધશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ જવા આવવા માટે પણ બસોના નવા રૂટો શરૂ કરવામાં આવશે જેથી લોકોની પરિવહન સુવિધા વધશે. કુકરવાડા ગામમાં આજે વિકાસનું એક નવું સોપાન ઉમેરાયું છે અને દિવસે દિવસે ગામનો વિકાસ વધતો જાય છે.

સંબંધિત સમાચાર