રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ5 મે, 2025| Super Admin

પાટણના હિંગળાચાચર ચોકમાં દાતાની પ્રતિમાની ફરતે ગંદકીનું સામ્રાજ્ય

પાટણના હિંગળાચાચર ચોકમાં દાતાની પ્રતિમાની ફરતે ગંદકીનું સામ્રાજ્ય
૯૬ વર્ષ જૂની શેઠ પૂનમચંદની પ્રતિમાની ગરિમા જાળવવા પાલિકા તંત્ર સફાઈ કરાવે; પાટણના નગરજનોને  પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદેશથી વર્ષો પહેલાં રૂ.૨.૫૦ લાખનું દાન અપૅણ કરનાર અને શહેરના હિંગળાચાચર ચોકમાં જેઓની પ્રતિમા સ્થાપિત છે તેવા શેઠ પૂનમચંદ લલ્લુભાઈની પ્રતિમાની આસપાસ પાલિકા તંત્ર ની નિષ્ક્રિયતાના કારણે કચરાના ઢગ ખડકાયા હોવાની પ્રતિમા ફરતે ગંદકી જોવા મળી રહી છે તો આ ગંદકી ની સફાઈ મામલે વેપારીઓએ નગરપાલિકા પાસે સફાઈની માંગ કરી છે. ઈ.સ.૧૯૨૯ માં શેઠ પૂનમચંદ લલ્લુભાઈએ પાટણની પ્રજાને પાણીની સુવિધા મળે એ માટે પાટણ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખાને રૂ.૨.૫૦ લાખનું દાન આપ્યું હતું. તેમના આ યોગદાનને બિરદાવવા માટે ૯૬ વર્ષ પહેલા નગરપાલિકાએ હિંગળાચાચર ચોકમાં તેમની પ્રતિમા સ્થાપિત કરી હતી. પરંતુ વર્તમાન સમયમાં શાસકોની નિષ્ક્રિયતાને કારણે આ પ્રતિમાની આસપાસ કચરા પેટી જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર અનેકવાર આ ગંદકીના દ્રશ્યો વાયરલ કરી નઘરોળ નગરપાલિકાના સત્તાધીશો ને રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી આ ગંદકી મામલે પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. લોકોમાં ચર્ચા છે કે જો મોટા દાતાઓની પ્રતિમાની આવી સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોની સુવિધાઓની શું સ્થિતિ હશે. ત્યારે નગરપાલિકાના સત્તાધિશોએ શરમ અનુભવી આ દાતાની પ્રતિમા ફરતે ફેલાયેલી ગંદકીને તાત્કાલિક ધોરણે દૂર કરી પ્રતિમાની સમયાંતરે સાફ સફાઈ કરવામાં આવે તે આજના સમયની માંગ છે.

સંબંધિત સમાચાર