પાટણના હિંગળાચાચર ચોકમાં દાતાની પ્રતિમાની ફરતે ગંદકીનું સામ્રાજ્ય

૯૬ વર્ષ જૂની શેઠ પૂનમચંદની પ્રતિમાની ગરિમા જાળવવા પાલિકા તંત્ર સફાઈ કરાવે; પાટણના નગરજનોને પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદેશથી વર્ષો પહેલાં રૂ.૨.૫૦ લાખનું દાન અપૅણ કરનાર અને શહેરના હિંગળાચાચર ચોકમાં જેઓની પ્રતિમા સ્થાપિત છે તેવા શેઠ પૂનમચંદ લલ્લુભાઈની પ્રતિમાની આસપાસ પાલિકા તંત્ર ની નિષ્ક્રિયતાના કારણે કચરાના ઢગ ખડકાયા હોવાની પ્રતિમા ફરતે ગંદકી જોવા મળી રહી છે તો આ ગંદકી ની સફાઈ મામલે વેપારીઓએ નગરપાલિકા પાસે સફાઈની માંગ કરી છે.
ઈ.સ.૧૯૨૯ માં શેઠ પૂનમચંદ લલ્લુભાઈએ પાટણની પ્રજાને પાણીની સુવિધા મળે એ માટે પાટણ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખાને રૂ.૨.૫૦ લાખનું દાન આપ્યું હતું. તેમના આ યોગદાનને બિરદાવવા માટે ૯૬ વર્ષ પહેલા નગરપાલિકાએ હિંગળાચાચર ચોકમાં તેમની પ્રતિમા સ્થાપિત કરી હતી. પરંતુ વર્તમાન સમયમાં શાસકોની નિષ્ક્રિયતાને કારણે આ પ્રતિમાની આસપાસ કચરા પેટી જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર અનેકવાર આ ગંદકીના દ્રશ્યો વાયરલ કરી નઘરોળ નગરપાલિકાના સત્તાધીશો ને રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી આ ગંદકી મામલે પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. લોકોમાં ચર્ચા છે કે જો મોટા દાતાઓની પ્રતિમાની આવી સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોની સુવિધાઓની શું સ્થિતિ હશે. ત્યારે નગરપાલિકાના સત્તાધિશોએ શરમ અનુભવી આ દાતાની પ્રતિમા ફરતે ફેલાયેલી ગંદકીને તાત્કાલિક ધોરણે દૂર કરી પ્રતિમાની સમયાંતરે સાફ સફાઈ કરવામાં આવે તે આજના સમયની માંગ છે.
ટેગ્સ:#Patan city#Local Governance#public opinion#Community Concerns#Municipal Administration#Environmental Awareness#waste management#Civic Responsibility#Statue Maintenance#Seth Poonam Chand Lallubhai#Hinglachachar Chowk#Public Cleanliness#Historical Donations#Social Media Activism#Dignity of Memorials
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
