રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા2 મે, 2025| Super Admin

કુશકલ ગામે બાદરપુરાના ગૃહસ્થનું માર્ગ અકસ્માતમાં મોત

કુશકલ ગામે બાદરપુરાના ગૃહસ્થનું માર્ગ અકસ્માતમાં મોત

પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ કુશકલ ગામના પાટિયા પર રસ્તો ક્રોસ કરી રહેલા બાદરપુરાના એક ગૃહસ્થને પાલનપુર તરફથી આવેલી ગાડીએ ટક્કર મારતા તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યું હતું. જે અંગે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઇ જનાર ગાડીના અજાણ્યા ચાલક સામે ગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામા અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં પાલનપુર તાલુકાના બાદરપુરા (ખોડલા) ના ગૃહસ્થ નરસિંહભાઇ ઉર્ફે નરસંગભાઇ ફતાભાઇ જુડાળ (ચૌધરી) સામાજિક કામે તેમના ગામ પાસે આવેલ કુશકલ ગામે જઇ રહ્યા હતા. દરમ્યાન કુશકલ ગામના પાટિયા પાસે રસ્તો ઓળંગવા જતા હતા. તે સમયે પાલનપુર તરફથી પુર ઝડપે આવેલી એક ગાડીના ચાલકે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરી આ રાહદારીને ટક્કર મારી હતી. જેમાં તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.જેને લઇ અકસ્માત સર્જનાર ચાલક ગાડી લઇ ફરાર થઇ ગયો હતો. જોકે ઈજાગ્રસ્તને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે અંગે મૃતકના ભત્રીજાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ જનાર ગાડી ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

સંબંધિત સમાચાર