રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય6 માર્ચ, 2025| Super Admin

કર્ણાટકના મેંગલુરુમાં આવેલી જિલ્લા જેલમાં 45 કેદીઓને ફૂડ પોઇઝનિંગ

કર્ણાટકના મેંગલુરુમાં આવેલી જિલ્લા જેલમાં 45 કેદીઓને ફૂડ પોઇઝનિંગ

કર્ણાટકના મેંગલુરુમાં આવેલી જિલ્લા જેલમાં બુધવારે 45 કેદીઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અહેવાલો અનુસાર, બપોરનું ભોજન કર્યા પછી કેદીઓને પેટમાં તકલીફ થવા લાગી. બુધવારે તમામ 45 કેદીઓને સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદ બાદ સરકારી વેનલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ આ કેદીઓમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેદીઓને બપોરના ભોજનમાં ભાત-સાંભાર અને નાસ્તામાં 'અવલક્કી' અથવા પોહા પીરસવામાં આવતા હતા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ એક કેદી સિવાય, અન્ય તમામ કેદીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગની ટીમે કેદીઓના પીવાના પાણી, સવારનો નાસ્તો અને બપોરના ભોજનના નમૂના એકત્રિત કર્યા છે અને તેમને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે. કેદીઓને દાખલ કર્યા પછી અગ્રવાલે હોસ્પિટલની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે હોસ્પિટલમાં કેદીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો સાથે પણ વાત કરી.

સંબંધિત સમાચાર