રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠાની મીઠાઈ - ફરસાણની 19 દુકાનોમાં દરોડા પાડ્યા

બનાસકાંઠાની મીઠાઈ - ફરસાણની 19 દુકાનોમાં દરોડા પાડ્યા
તપાસ દરમિયાન ગેરરીતી માલુમ પડતા ડીસા અને ધાનેરાના 7 દુકાનદારો સામે કાર્યવાહી  જન્માષ્ટમીના પવિત્ર તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે બનાસકાંઠાની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાની કુલ 19 જેટલી મીઠાઇ- ફરસાણની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા ડીસા અને ધાનેરાના  7 એકમો પાસેથી માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. 3500 રકમ વસૂલ કરવામાં આવી હતી.અને હવે પછી ગેરરીતી ન આચરવાની તાકીદ પણ કરી હતી. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન આમ પ્રજા મીઠાઇ, ફરસાણ,કરીયાણું સહિતની વસ્તુઓની મોકળા મને ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત ગ્રાહકોને ખરીદી દરમિયાન વજન કે પછી ગુણવત્તામાં છેતરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યના નાગરીકો આવા કોઈ બનાવનો ભોગ ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય તે ઉદ્દેશથી દરેક જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર વિભાગ કાર્યરત છે. એટલા માટે જ, બનાસકાંઠા કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.અને વિવિધ મીઠાઇ, ફરસાણની દુકાનો  પર સરકારના કાયદા- નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જે દરમ્યાન કસૂરવાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.      

સંબંધિત સમાચાર