સરસ્વતી તાલુકામાં આવેલ ખલીપુર ગામ ખાતે મહત્વકાંક્ષી માર્ગ પરિયોજનાનું ગતરોજ ખાતમુહૂર્ત કરાયું હતું. પાટણ-જામઠા રોડને જોડતાં ખલીપુર એપ્રોચ રોડને પહોળો કરવાની માંગ વિસ્તારના લોકો દ્વારા કરાઈ રહી હતી. જે અંતર્ગત પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રૂ. 1.45 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા જે અંતર્ગત હાલનો 3.75 મીટરનો સાંકડો રસ્તો હવે 5.50 મીટર પહોળો બનશે. આ રોડનું ખાતમુહૂર્ત ગતરોજ પાટણ ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું.આ રસ્તો પાટણ-જામઠા મુખ્ય માર્ગને જોડતો હોવાથી ખેડૂતોને તેમની પેદાશ બજાર સુધી પહોંચાડવામાં અને ઇમરજન્સી સેવાઓ માટે સમયની બચત થશે.
સરસ્વતી તાલુકાના ખલીપુરમાં રૂ.1.45 કરોડના ખર્ચે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું

સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
2 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
2 દિવસ પહેલા
