સરસ્વતી તાલુકામાં આવેલ ખલીપુર ગામ ખાતે મહત્વકાંક્ષી માર્ગ પરિયોજનાનું ગતરોજ ખાતમુહૂર્ત કરાયું હતું. પાટણ-જામઠા રોડને જોડતાં ખલીપુર એપ્રોચ રોડને પહોળો કરવાની માંગ વિસ્તારના લોકો દ્વારા કરાઈ રહી હતી. જે અંતર્ગત પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રૂ. 1.45 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા જે અંતર્ગત હાલનો 3.75 મીટરનો સાંકડો રસ્તો હવે 5.50 મીટર પહોળો બનશે. આ રોડનું ખાતમુહૂર્ત ગતરોજ પાટણ ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું.આ રસ્તો પાટણ-જામઠા મુખ્ય માર્ગને જોડતો હોવાથી ખેડૂતોને તેમની પેદાશ બજાર સુધી પહોંચાડવામાં અને ઇમરજન્સી સેવાઓ માટે સમયની બચત થશે.
સરસ્વતી તાલુકાના ખલીપુરમાં રૂ.1.45 કરોડના ખર્ચે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું

સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
3 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
3 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
3 દિવસ પહેલા
