ખેટંવા-સાંડીયા માર્ગ પર વરસાદી પાણીનો જમાવટ, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

ખેટંવા-સાંડીયા માર્ગ પર વરસાદી પાણીનો જમાવટ, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

ડીસા તાલુકાના ખેટંવા ગામથી સાંડીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ઠેર ઠેર ઘરો આગળ ભરાઈ જવાથી ગ્રામજનોમાં ચિંતાનું વાતાવરણ છે. વરસાદી પાણીના કારણે માર્ગ પર કાદવ તથા ગંદકી ફેલાઈ જવાથી આવાગમનમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.

પાણી ભરાવાને કારણે મચ્છરોની સંખ્યા વધતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં વ્યાપી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની રહી છે. ગ્રામજનો દ્વારા તંત્રને વહેલી તકે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો જમાવટ દૂર થાય અને સ્વચ્છતા જળવાઈ રહે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *