ચૂંટણીપંચે મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે મહત્ત્વનો નિર્ણય લીધો
ચૂંટણીપંચે મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. બિહારની જેમ હવે દેશભરમાં SIRની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચૂંટણીપંચ અનુસાર, મતદાર યાદીઓની તટસ્થતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાની બંધારણીય જવાબદારી નિભાવવા માટે દેશભરમાં SIR શરૂ કરવામાં આવશે.
અહેવાલો અનુસાર, ચૂંટણી પંચે ૨૪મી જૂનના રોજ મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા અંગેના આદેશમાં જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ હવે મતદાર યાદીઓની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટેના તેના બંધારણીય આદેશનું પાલન કરવા માટે દેશભરમાં ખાસ સઘન સુધારા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દેશના બાકીના ભાગોમાં SIR માટેનું શેડ્યૂલ યોગ્ય સમયે જાહેર કરાશે.ઁ
SIR શું છે અને આ પ્રક્રિયા કેમ જરૂરી છે?
ચૂંટણીપંચ દ્વારા શરૂ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મળત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામાં પર નોંધાયેલા છે.





