રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા15 એપ્રિલ, 2025| Super Admin

અંબાજી-પાલનપુર માર્ગ ઉપર આવેલ રતનપુર-મેરવાડા પુલના એપ્રોચ ભાગમાં ભુવો પડતાં વાહન વ્યવહાર ખોરવાયો

અંબાજી-પાલનપુર માર્ગ ઉપર આવેલ રતનપુર-મેરવાડા પુલના એપ્રોચ ભાગમાં ભુવો પડતાં વાહન વ્યવહાર ખોરવાયો
વાહનોની લાઈનો લાગી : બે કલાકની જહેમત બાદ જેસીબી વડે ભુવો પુરાતાં હાશકારો ; બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અંબાજી માર્ગ ઉપર રતનપુર-મેરવાડા વચ્ચે આવેલ 65 વર્ષ જૂના જર્જરિત પુલના એપ્રોચ ભાગમાં ભુવો પડતાં પુલ સાંકડો હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. અને વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. જોકે આ ભુવો પડતાં વાહન વ્યવહાર ખોરવાતા તંત્ર દ્વારા પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને પુલની એક સાઈડ ચાલુ રાખી વારાફરતી વાહનોને પસાર કરાવવામાં આવી રહ્યાં છે.   બીજી બાજુ, વહીવટી તંત્ર દ્વારા એપ્રોચ ભાગ પર પડેલ ભુવાને રીપેર કરવા માટે જેસીબી લાવી ભુવો રીપેર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.રીપેરીંગ કામગીરી દરમિયાન પણ આ પુલ ઉપર એક બાજુ ભારે વાહનો જીવના જોખમે પસાર થઈ રહ્યાં હતાં. જો કે બે કલાકમાં આ ભુવાને જેસીબી મશીનથી પુરી દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાએ નવીન પુલ મંજુર કરવામાં આવ્યો છે.પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આ પુલ ઉપર મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં સત્વરે નવીન પુલની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર