વાવ ધરણીધર તાલુકામાં દિન પ્રતિદિન માઇનોર અને સબ માઇનોર કેનાલો તૂટી રહી છે. હમણાં છેલ્લા એક સપ્તાહમાં સરહદી વાવ ધરણીધર પંથકમાં 6 થી વધુ જગ્યા પર માઇનોર તૂટી છે. પરંતુ આછુવા ખાતે ચાર દિવસ અગાઉ રીપેર કરેલી માઇનોર 2 1700 ફરી પાછી તૂટી જતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.જે બાબતે રાછેણા ગામના ખેડૂત તેમજ જાગૃત સરપંચ કિરણસિંહ રાજપુતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.કે કેનાલોમાં સફાઈ રિપેરીગના નામે ભારે ગેરરીતિઓ ચાલી રહી છે. દિન પ્રતિદિન કેનાલો તૂટી રહી છે. ત્યારે ખેડૂતો બુમરાડ કરી રહ્યા છે. કોંટાકટરો મૂછોમાં મરક મરક હસી રહ્યા છે. નર્મદા કેનાલના જવાબદારો ભર નિંદ્રામાં સુઈ રહ્યા છે. જોકે કેનાલો માઇનોર તૂટતાં ખેડૂતોને રવિ સિઝન લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે જીલા કલેકટર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી વાવ ધરણીધર પંથકના ખેડૂતોની ઉગ્ર માંગ છે.
વાવની આછુવા માઇનોર કેનાલ 2 ફરી તૂટી ખેડતોમાં ઉગ્ર રોષ

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે જ વીજ પુરવઠાની સમસ્યા વિકરાળ
2 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ: ટડાવ CHCનું બાંધકામ ફરી શરૂ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા-વડા વચ્ચે અકસ્માત: આખલાની અડફેટે બાઇક ચાલક ગંભીર ઘવાયો
2 દિવસ પહેલા
વાવ-થરાદથરાદ પાલિકા: સામાન્ય સભામાં ₹૪૩ કરોડના વિકાસના કામો મંજૂર
2 દિવસ પહેલા
