વાવ ધરણીધર તાલુકામાં દિન પ્રતિદિન માઇનોર અને સબ માઇનોર કેનાલો તૂટી રહી છે. હમણાં છેલ્લા એક સપ્તાહમાં સરહદી વાવ ધરણીધર પંથકમાં 6 થી વધુ જગ્યા પર માઇનોર તૂટી છે. પરંતુ આછુવા ખાતે ચાર દિવસ અગાઉ રીપેર કરેલી માઇનોર 2 1700 ફરી પાછી તૂટી જતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.જે બાબતે રાછેણા ગામના ખેડૂત તેમજ જાગૃત સરપંચ કિરણસિંહ રાજપુતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.કે કેનાલોમાં સફાઈ રિપેરીગના નામે ભારે ગેરરીતિઓ ચાલી રહી છે. દિન પ્રતિદિન કેનાલો તૂટી રહી છે. ત્યારે ખેડૂતો બુમરાડ કરી રહ્યા છે. કોંટાકટરો મૂછોમાં મરક મરક હસી રહ્યા છે. નર્મદા કેનાલના જવાબદારો ભર નિંદ્રામાં સુઈ રહ્યા છે. જોકે કેનાલો માઇનોર તૂટતાં ખેડૂતોને રવિ સિઝન લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે જીલા કલેકટર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી વાવ ધરણીધર પંથકના ખેડૂતોની ઉગ્ર માંગ છે.
વાવની આછુવા માઇનોર કેનાલ 2 ફરી તૂટી ખેડતોમાં ઉગ્ર રોષ

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાદ : વિકાસ માત્ર કાગળ પર, ગ્રાઉન્ડ લેવલે સમસ્યાઓનો અંબાર !
11 કલાક પહેલા
વાવ-થરાદચૂંટણી પૂર્વે ભાજપને ફટકો ? રાબડીપાદરના ૧૫૦ લોકો કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા
1 દિવસ પહેલા
વાવ-થરાદવાવમાં ચૂંટણીનો માહોલ ગરમાયો : પાંચમા દિવસે વધુ ૯ ઉમેદવારી ફોર્મ ભરાયા
1 દિવસ પહેલા
વાવ-થરાદધરણીધર તાલુકામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: વિકાસના કામો અધૂરા રહેતા જનજીવન પ્રભાવિત
2 દિવસ પહેલા
