વાવ ધરણીધર તાલુકામાં દિન પ્રતિદિન માઇનોર અને સબ માઇનોર કેનાલો તૂટી રહી છે. હમણાં છેલ્લા એક સપ્તાહમાં સરહદી વાવ ધરણીધર પંથકમાં 6 થી વધુ જગ્યા પર માઇનોર તૂટી છે. પરંતુ આછુવા ખાતે ચાર દિવસ અગાઉ રીપેર કરેલી માઇનોર 2 1700 ફરી પાછી તૂટી જતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.જે બાબતે રાછેણા ગામના ખેડૂત તેમજ જાગૃત સરપંચ કિરણસિંહ રાજપુતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.કે કેનાલોમાં સફાઈ રિપેરીગના નામે ભારે ગેરરીતિઓ ચાલી રહી છે. દિન પ્રતિદિન કેનાલો તૂટી રહી છે. ત્યારે ખેડૂતો બુમરાડ કરી રહ્યા છે. કોંટાકટરો મૂછોમાં મરક મરક હસી રહ્યા છે. નર્મદા કેનાલના જવાબદારો ભર નિંદ્રામાં સુઈ રહ્યા છે. જોકે કેનાલો માઇનોર તૂટતાં ખેડૂતોને રવિ સિઝન લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે જીલા કલેકટર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી વાવ ધરણીધર પંથકના ખેડૂતોની ઉગ્ર માંગ છે.
વાવની આછુવા માઇનોર કેનાલ 2 ફરી તૂટી ખેડતોમાં ઉગ્ર રોષ

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવના મોરીખા યુવક મોત મામલો: બીજા દિવસે પણ ધરણા યથાવત, કલેક્ટર બહાર દલિત સમાજનો આક્રોશ
8 કલાક પહેલા
વાવ-થરાદથરાના વડા ગામેથી 4 જુગારીયા ઝડપાયા, રૂ.67,600 નો મુદ્દામાલ જપ્ત
9 કલાક પહેલા
વાવ-થરાદથરા ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના ઉપક્રમે નશાબંધી કાર્યક્રમ યોજાયો
9 કલાક પહેલા
વાવ-થરાદવાવની નર્મદા વિભાગની મુખ્ય બ્રાન્ચ માલસણ શાખાની વાવડી માઇનોરમાં ગાબડું પડ્યું
10 કલાક પહેલા
