ઊંઝા ઉમિયા માતાથી સાળંગપુર નવીન એસટી બસ સેવાનો પ્રારંભ

સવારે 5.30 કલાકે ઉમિયા માતાજી ચોકથી ઉપડશે; ઊંઝા એસટી બસ ડેપો દ્વારા આજથી ઉમિયા માતા સાળંગપુર નવિન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે એસટી બસ સવારે 5.30 કલાકે ઉમિયા માતાજીથી ઉપડશે અને 11.30 કલાકે સાળંગપુર પહોંચશે.
ઊંઝા એસટી બસ ડેપો દ્વારા શરૂ કરાયેલ નવિન એસટી બસ ઉમિયા માતા થી સાળંગપુરનો પ્રારંભ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને વિભાગીય નિયામક વાય કે પટેલ દ્રારા કરવામાં આવ્યો હતો જેમાં ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ અને ઊંઝા એસટી ડેપો મેનેજર હેતલબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ડેપો એટીઆઈ શિવરામભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા થી સવારે 5;30 કલાકે એસટી બસ ઉપડશે જે મહેસાણા, અડાલજ સરખેજ બાવળા ધંધુકા બરવાળા થઈ સાળંગપુર પહોચશે.
ટેગ્સ:#Unjha ST Bus Depot#Umiya Mataji Chowk#Salangpur Connectivity#Gujarat Public Transport#ST Bus Service Launch#Pilgrimage Route#Mehsana to Salangpur#Gujarat Travel Update#Regional Transportation
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા આરોગ્ય વિભાગનું આકસ્મિક ચેકિંગ: ફરજમાં બેદરકાર ૧૨ કર્મચારીઓને નોટિસ ફટકારાઈ
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જેલમાં બેફામ બન્યા કેદીઓ: હવાલદાર પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા પાલિકા એક્શન મોડમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા કડક ચેતવણી
2 દિવસ પહેલા
મહેસાણાવડનગરના ઐતિહાસિક મંદિરમાં વિવાદનો અંત: મધરાતે સરકારી પ્રશાસકે ચાર્જ સંભાળ્યો
2 દિવસ પહેલા
