રખેવાળ
બ્રેકિંગ
Uncategorized6 ડિસેમ્બર, 2024

ચેન્નાઈમાં શંકાસ્પદ દૂષિત પાણી પીવાથી બે લોકોના મોત અન્ય 19 લોકો  હોસ્પિટલમાં દાખલ

ચેન્નાઈમાં શંકાસ્પદ દૂષિત પાણી પીવાથી બે લોકોના મોત અન્ય 19 લોકો  હોસ્પિટલમાં દાખલ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં શંકાસ્પદ દૂષિત પાણી પીવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 19 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરના પલ્લવરમ વિસ્તારમાં તાજેતરમાં પડેલા વરસાદને પગલે ગટરનું પાણી પીવાના પાણીમાં પ્રવેશવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે. તમિલનાડુના આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓની સુખાકારી વિશે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે પાણીના નમૂનાઓને વિગતવાર પરીક્ષણ માટે ગિન્ડીમાં કિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિન એન્ડ રિસર્ચમાં મોકલવામાં આવ્યા છે. સુબ્રમણ્યમે કહ્યું કે મૃતકના મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે.

મૃતકોની ઓળખ 56 વર્ષીય તિરુવેથી અને 42 વર્ષીય મોહનરંગમ તરીકે થઈ છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોહનરંગમને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કુલ 34 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 14ને રજા આપી દેવામાં આવી છે અને 19 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

સંબંધિત સમાચાર