રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ20 ઑગસ્ટ, 2025| Super Admin

સિદ્ધપુર સાનિયા કેમિકલ કંપનીમાં કર્મચારીનું મોત નિપજતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

સિદ્ધપુર સાનિયા કેમિકલ કંપનીમાં કર્મચારીનું મોત નિપજતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

કેમિકલની અસરથી યુવકની તબિયત લથડતા મોત નીપજ્યું હોવાનું અનુમાનચ સિદ્ધપુરની સાનિયા એન્ટરપ્રાઈઝ કંપનીમાં એક કર્મચારીનું કેમિકલની અસરથી મોત નિપજ્યું હોવાની આશંકા વચ્ચે મૃતક ના ભાઈ દ્રારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુરની સાનિયા એન્ટરપ્રાઈઝ કંપનીમાં ફરજ બજાવતા અને સિદ્ધપુર દિલીપભાઈ પંડયાની ચાલી મા રહેતા સંજયભાઈ પરમાર કંપની માં કામ કરતા હતા ત્યારે તેમને કેમિકલની અસર થતાં તેમની તબિયત લથડતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો. આ મામલે મૃતકના ભાઈ પ્રકાશભાઈ હરગોવન ભાઈ પરમારે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNSS) કલમ 194 હેઠળ ગુનો દાખલ કરી પોલીસે કેમિકલની અસર કેવી રીતે થઈ અને કંપનીની શું બેદરકારી રહી છે તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર