પાટણમાં વ્રતધારી બહેનો દ્વારા દશ દિવસ સુધી કરાયેલા દશામાં ના વ્રતનું ભક્તિમય માહોલમાં સમાપન કરાયું

શકિતપીઠ દશામાં સ્થાનકે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કૂડ મા દશામાં ની મૂર્તિ પધરાવી વ્રતધારી બહેનોએ આશીર્વાદ પ્રાપ્ત કયૉ
પવિત્ર શ્રાવણ માસમાં વ્રતોનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. પાટણ શહેરમાં દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ દશામાનું વ્રત કરે છે. મહિલાઓ 10 દિવસ એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરે છે. પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતાના મંદિરમાં વ્રતધારી મહિલાઓ દસ દિવસ પૂજા અર્ચના કરી અને વ્રત ના છેલ્લા દિવસે પણ મહિલાઓએ મોટી સંખ્યામાં વારાફરથી દશામાં નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
વ્રતધારી મહિલાઓ દ્વારા ઘી પીરસવામાં આવ્યું હતું. રાત્રે માતાજીનું 64 ઉપચારોનું પૂજન કરાયું હતું. રાત્રે 12 વાગે 108 દીવાની મહાઆરતી યોજાઈ હતી. આ દર્શનનો લાભ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ લીધો હતો. દશામાના વ્રતના છેલ્લા દિવસે વહેલી સવારથી જ વ્રતધારી મહિલાઓ પૂજન અર્ચન માટે આવી હતી. મંદિર પરિસર બહાર ભરાયેલ મેળાનો લાભ પણ શહેરીજનોએ લીધો હતો.વ્રતધારી મહિલાઓએ દશામાતાજી શક્તિપીઠ ખાતે બનાવેલ કુંડમાં માતાજીની માટી સ્થાપિત કરેલ મૂર્તિનું વિસર્જન કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ટેગ્સ:#Devotional Practices#Shravan Month Rituals#Patan City Traditions#Siddhanath Mahadev Temple#Shaktipith Dashama Sthan#Women’s Religious Observance#Dashama Puja#Gujarat Spiritual Culture#Fasting Rituals in India
સંબંધિત સમાચાર
પાટણપાટણ નગરપાલિકાની લાલ આંખ: પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ, સાત દિવસમાં જગ્યા સીલ કરવાની ચીમકી
1 દિવસ પહેલા
પાટણશંખેશ્વર પંથકમાં પાટણ LCBનો દરોડો: મોટાપાયે ચાલતું જુગારધામ ઝડપાયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ‘ગઠિયા’ ગિરાક: દેવિકા ગોલ્ડ પેલેસમાંથી ત્રણ મહિલાઓ સોનાની કડીઓ ચોરી ફરાર
1 દિવસ પહેલા
પાટણહારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: હિમાચલ પ્રદેશના યુવાનનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
