રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ3 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણમાં વ્રતધારી બહેનો દ્વારા દશ દિવસ સુધી કરાયેલા દશામાં ના વ્રતનું ભક્તિમય માહોલમાં સમાપન કરાયું

પાટણમાં વ્રતધારી બહેનો દ્વારા દશ દિવસ સુધી કરાયેલા દશામાં ના વ્રતનું ભક્તિમય માહોલમાં સમાપન કરાયું
શકિતપીઠ દશામાં સ્થાનકે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કૂડ મા દશામાં ની મૂર્તિ પધરાવી વ્રતધારી બહેનોએ આશીર્વાદ પ્રાપ્ત કયૉ પવિત્ર શ્રાવણ માસમાં વ્રતોનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. પાટણ શહેરમાં દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ દશામાનું વ્રત કરે છે. મહિલાઓ 10 દિવસ એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરે છે. પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતાના મંદિરમાં વ્રતધારી મહિલાઓ દસ દિવસ પૂજા અર્ચના કરી અને વ્રત ના છેલ્લા દિવસે પણ મહિલાઓએ મોટી સંખ્યામાં વારાફરથી દશામાં નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. વ્રતધારી મહિલાઓ દ્વારા ઘી પીરસવામાં આવ્યું હતું. રાત્રે માતાજીનું 64 ઉપચારોનું પૂજન કરાયું હતું. રાત્રે 12 વાગે 108 દીવાની મહાઆરતી યોજાઈ હતી. આ દર્શનનો લાભ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ લીધો હતો. દશામાના વ્રતના છેલ્લા દિવસે વહેલી સવારથી જ વ્રતધારી મહિલાઓ પૂજન અર્ચન માટે આવી હતી. મંદિર પરિસર બહાર ભરાયેલ મેળાનો લાભ પણ શહેરીજનોએ લીધો હતો.વ્રતધારી મહિલાઓએ દશામાતાજી શક્તિપીઠ ખાતે બનાવેલ કુંડમાં માતાજીની માટી સ્થાપિત કરેલ મૂર્તિનું વિસર્જન કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

સંબંધિત સમાચાર