ભારતીય ક્રિકેટ જગતમાંથી આ સમયના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર સામે આવી રહ્યા છે. બીસીસીઆઈની સિનિયર પસંદગી સમિતિએ જૂન ૨૦૨૬ના અંતમાં શરૂ થનારા ભારતીય ટીમના યુકે પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસમાં ભારત, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ પ્રવાસ માટે સૌથી મોટા સમાચાર એ છે કે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટીમ ઇન્ડિયાનો નવો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેની સાથે જ, IPL ૨૦૨૬માં પોતાના બેટથી રનનો વરસાદ કરનાર યુવા સન્સેશન વૈભવ સૂર્યવંશીને પહેલીવાર સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવે આઈપીએલની ૧૬ મેચોમાં રેકોર્ડબ્રેક ૭૭૬ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી, જેના શાનદાર ઇનામ તરીકે તેને ઈન્ટરનેશનલ ડેબ્યુની તક મળી છે.
ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ શ્રેણી માટે જાહેર થયેલી આ ટીમમાં તિલક વર્મા, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, સંજુ સેમસન, અક્ષર પટેલ, ઈશાન કિશન અને મોહમ્મદ સિરાજ સહિતના સ્ટાર ખેલાડીઓ સામેલ છે. ભારતીય ટીમ આ પ્રવાસમાં ૨ ટી૨૦ આયર્લેન્ડ સામે, અને ઇંગ્લેન્ડ સામે ૫ ટી૨૦ અને ૩ ઓડીઆઈ મેચોની સિરીઝ રમશે. આ સાથે જ એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે પણ ટીમ જાહેર કરાઈ છે.
ઇંગ્લેન્ડ શ્રેણી માટે ટીમ ઇન્ડિયા જાહેર, શ્રેયસ ઐયર નવો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

સંબંધિત સમાચાર
રમતગમતટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં થશે ફેરફાર, BCCI તરફથી મંજૂરીનો ઇંતજાર
2 દિવસ પહેલા
રમતગમતભારત સામેની પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
2 દિવસ પહેલા
રમતગમતટીમ ઈન્ડિયાએ લોર્ડ્સમાં વિજય મેળવ્યો, ઈંગ્લેન્ડને 270 રનથી હરાવીને ઐતિહાસિક ટેસ્ટ મેચ જીતી
3 દિવસ પહેલા
રમતગમતભારતીય ટીમનો ત્રિમૂર્તિ 967 દિવસ પછી ODIમાં જોવા મળશે
3 દિવસ પહેલા
