રાધનપુર ના અરજણસર ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દર - દાગીના ચોરી કરી ફરાર

મકાન માલિકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી; રાધનપુરના અરજણસર ગામમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત નો મુદામાલ ચોરી કરી ફરાર થયાની રાધનપુર પોલીસ મથકે મકાન માલિક દ્રારા ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ રાધનપુરના અરજણસર ગામમાં રહેતા વાસુદેવભાઈ બજરંગદાસ સાધુના મકાનમાં તસ્કરોએ તા. 25 જૂન સાંજના 7 વાગ્યાથી 26 જૂન બપોરના 12 વાગ્યા દરમિયાન સીડી વાટે ઘરમાં પ્રવેશ કરી મકાનના અંદરના ખંડમાં રાખેલી લાકડાની તિજોરી તોડી તેમાંથી સોનાની 5 વીંટી (10 ગ્રામ, કિંમત રૂ. 42,000), 3 સોનાના ઓમ (5 ગ્રામ, કિંમત રૂ. 21,000) અને 25 ચાંદીના સિક્કા (કિંમત રૂ. 11,750)સહિત કુલ રૂ. 74,750ની મત્તાની ચોરી કરીને તસ્કરો એ જ સીડી મારફતે ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ હાલ સાતેજ (તા. કલોલ, જિ. ગાંધીનગર)માં રહેતા 62 વર્ષીય વાસુદેવ ભાઈને થતાં તેઓએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#radhanpur#burglary#police investigation#Community Safety#Crime Report#Gold and silver theft#Property crime#Stolen Ornaments#Smuggling Incident#Arjansar Village#Radhanpur Police Station#Wooden Safe#Unknown Suspects#Victim Complaint
સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
2 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
2 દિવસ પહેલા
