રાધનપુર ના અરજણસર ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દર - દાગીના ચોરી કરી ફરાર

મકાન માલિકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી; રાધનપુરના અરજણસર ગામમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત નો મુદામાલ ચોરી કરી ફરાર થયાની રાધનપુર પોલીસ મથકે મકાન માલિક દ્રારા ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ રાધનપુરના અરજણસર ગામમાં રહેતા વાસુદેવભાઈ બજરંગદાસ સાધુના મકાનમાં તસ્કરોએ તા. 25 જૂન સાંજના 7 વાગ્યાથી 26 જૂન બપોરના 12 વાગ્યા દરમિયાન સીડી વાટે ઘરમાં પ્રવેશ કરી મકાનના અંદરના ખંડમાં રાખેલી લાકડાની તિજોરી તોડી તેમાંથી સોનાની 5 વીંટી (10 ગ્રામ, કિંમત રૂ. 42,000), 3 સોનાના ઓમ (5 ગ્રામ, કિંમત રૂ. 21,000) અને 25 ચાંદીના સિક્કા (કિંમત રૂ. 11,750)સહિત કુલ રૂ. 74,750ની મત્તાની ચોરી કરીને તસ્કરો એ જ સીડી મારફતે ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ હાલ સાતેજ (તા. કલોલ, જિ. ગાંધીનગર)માં રહેતા 62 વર્ષીય વાસુદેવ ભાઈને થતાં તેઓએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#radhanpur#burglary#police investigation#Community Safety#Crime Report#Gold and silver theft#Property crime#Stolen Ornaments#Smuggling Incident#Arjansar Village#Radhanpur Police Station#Wooden Safe#Unknown Suspects#Victim Complaint
સંબંધિત સમાચાર
પાટણપાટણ કલેક્ટરનો નિર્ણય NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ લદાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
3 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
3 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
4 દિવસ પહેલા
