ઊંઝાથી કામલી રોડ પર આવેલ શ્રી ઝાપડા મહારાજના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા જે લોખંડના નકૂચો તોડી મંદિરની અંદર પ્રવેશ કરી ચાંદીના મુગટ છતર સહિત દાગીના મળી કુલ કી રૂ 1,20, 000ની ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા કામલી રોડ પર શ્રી ખોડિયાર માતાજીના મંદિરની સામે શ્રી ઝોપડા મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરના લોખંડનો દરવાજાનો નકૂચો તોડી મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો અને ચાંદીનો મુગટ નંગ 1, લોટા 2, ચાંદીના દીવા નંગ 2, છત્રર નાના મોટા નંગ 5, ચાંદીની ઘંટડી 1તેમજ કંકાવટી 1 મળી કુલ રૂ 1,20,000 ની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે દિનેશભાઈ અમરતલાલ પ્રજાપતિ રહે ઊંઝાના નિવેદનને આધારે કોઈ અજાણ્યો ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા કામલી રોડ પર આવેલા ઝાપડા મહારાજના મંદિરે તસ્કરો ત્રાટકયા

ટેગ્સ:#Criminal Investigation#Temple Theft#Smuggling Incident#FIR registered#Unjha Police Case#Religious Artifact Theft#Temple Vandalism#Unjha Kamli Road#Unjha Town
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા આરોગ્ય વિભાગનું આકસ્મિક ચેકિંગ: ફરજમાં બેદરકાર ૧૨ કર્મચારીઓને નોટિસ ફટકારાઈ
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જેલમાં બેફામ બન્યા કેદીઓ: હવાલદાર પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ
2 દિવસ પહેલા
મહેસાણાઊંઝા પાલિકા એક્શન મોડમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા કડક ચેતવણી
3 દિવસ પહેલા
મહેસાણાવડનગરના ઐતિહાસિક મંદિરમાં વિવાદનો અંત: મધરાતે સરકારી પ્રશાસકે ચાર્જ સંભાળ્યો
3 દિવસ પહેલા
