રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બિઝનેસ8 જૂન, 2025| Super Admin

‘ઓપરેશન સિંદૂર’ના જવાનોનાં શૌર્યને સલામ : BSNL દ્વારા દેશભક્તિવાળો પ્લાન રજૂ કરાયો

‘ઓપરેશન સિંદૂર’ના જવાનોનાં શૌર્યને સલામ : BSNL દ્વારા દેશભક્તિવાળો પ્લાન રજૂ કરાયો
રીચાર્જની રકમનો એક ભાગ રક્ષામંત્રાલયને દાન આપશે અને એટલો જ ભાગ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે BSNLએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાનોનાં શૌર્યને સલામ આપીને આ ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં રીચાર્જની રકમનો એક ભાગ રક્ષા મંત્રાલયને દાન તરીકે આપવામાં આવશે. અને યૂઝરને પણ એટલો જ ભાગ કેશબેકના રૂપમાં મળશે. BSNL કુલ 5%નું યોગદાન આપશે. આ પ્લાનથી યૂઝરને પણ સારો લાભ મળશે. BSNL આ પ્લાન ખુબ જ ઓછી અવધિ માટે લાવ્યું છે. જો તમે રૂપિયા 1,499નું રીચાર્જ કરાવશો, તો તેનો એક ભાગ રક્ષા મંત્રાલયને દાનમાં આપવામાં આવશે. એટલો જ ભાગ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે. એટલે કે આ પ્લાન દ્વારા યૂઝર દેશ માટે કંઈક કરી શકશે. અને સાથે જ પોતે પણ કેશબેક મેળવી શકશે. BSNL કુલ 5%નું યોગદાન આપશે, જેમાંથી 2.5% રક્ષામંત્રાલયને અને 2.5% યૂઝરને આપવામાં આવશે. જોકે પ્લાનમાં માત્ર એટલું જ નથી. જો તમે રૂપિયા 1,499નું રીચાર્જ કરશો, તો રૂપિયા 37.50 રકમ રક્ષામંત્રાલયને જશે અને રૂપિયા 37.50 રકમ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે. જોકે BSNLએ માત્ર 2.5%નો આંકડો આપ્યો છે, રૂપિયા 37.50ની ગણતરી ઉદાહરણ રૂપે અહીં કરી છે. BSNLએ આ અંગે કોઈ સત્તાવાર આંકડો આપેલો નથી. કંપનીએ માત્ર 2.5%નો આંકડો જ આપ્યો છે. BSNLના રૂપિયા 1,499ના પ્લાનમાં આખા 11 મહિનાની વેલિડિટી મળશે. આ પ્લાન દ્વારા તમે આખા ભારતમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો, ફ્રી નેશનલ રોમિંગ પણ મળશે. સાથે દરરોજ 100 ફ્રી SMS મળશે. કુલ 24GB હાઈ સ્પીડ ડેટા પણ મળશે. જ્યારે આ ડેટાની મર્યાદા પૂરી થઈ જશે, ત્યારે પણ 40 kbpsની સ્પીડ સાથે અનલિમિટેડ ઈન્ટરનેટ ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન માત્ર 30 જૂન સુધી જ રીચાર્જ કરાવી શકાય છે.

સંબંધિત સમાચાર