રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય22 મે, 2025| Super Admin

યુપીમાં વરસાદ-વાવાઝોડાનું તાંડવઃ ૨૦ લોકોના મોત

યુપીમાં વરસાદ-વાવાઝોડાનું તાંડવઃ ૨૦ લોકોના મોત
કાતિલ પવન ફુંકાતા વૃક્ષો-થાંભલા પડી ગયાઃ વિજળી ખાબકતા ૧૦૦ ઘરો સળગી ગયાઃ અનેક વિસ્‍તારોમાં દિવાલો તુટીઃ અનેક ઘાયલઃરાહત-બચાવ પુરજોશમાં ઉત્તર પ્રદેશમાં અચાનક હવામાનમાં આવેલા પલટાને કારણે વાવાઝોડા અને ભારે વરસાદનો દોર શરૂ થયો. બુધવારે રાત્રે રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્‍યો. ઘણી જગ્‍યાએ આકાશમાંથી કરા પણ પડ્‍યા. જોકે એક તરફ લોકોને ગરમીથી રાહત મળી, તો બીજી તરફ લોકોને જાનમાલનું નુકસાન થયું. કયાંક લોકોએ જીવ ગુમાવ્‍યા તો કયાંક ઘરોમાં આગ લાગી. છેલ્લા ૧૨ કલાકમાં ઉત્તર પ્રદેશમાં ૨૦ લોકોના મોત થયા છે.બદાયૂં જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ બાદ જરીફનગરના ઘણા ગામોમાં આગ લાગવાથી ૮૦ થી વધુ ઘર બળી ગયા હતા. ગામલોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને પણ આગની જાણ કરી હતી. જોકે, જોરદાર વાવાઝોડાને કારણે રસ્‍તામાં ઘણા વળક્ષો પડી ગયા હતા, જેના કારણે ફાયર બ્રિગેડ અને પોલીસ સમયસર પહોંચી શકી ન હતી. કોઈક રીતે પોલીસ કર્મચારીઓ ખેતરોમાંથી બાઇક ગોઠવીને ગામમાં પહોંચ્‍યા. આ અકસ્‍માતમાં ગામમાં મોટું નુકસાન થયું છે. તેમના ઘરમાં રાખેલો તમામ સામાન બળી ગયો છે. જિલ્લાના નગર પંચાયત દહગવાન, જરીફનગર, સોનખેડા, જમુની અને માલપુર તાતેરા સહિત અનેક ગામોમાં વાવાઝોડા દરમિયાન આગ લાગી હતી. આગની ઘટના બાદ, એસપી રૂરલ, એસડીએમ સહસ્‍વાન, તહસીલદાર અને મહેસૂલ વિભાગની ટીમ નુકસાનનું મૂલ્‍યાંકન કરી રહી છે. યુપીમાં દિવસભર ભારે ગરમી, ભેજ અને ગરમીના મોજાથી લોકો પરેશાન રહ્યા હતા. લોકો પરસેવામાં તરબોળ રહ્યા હતા. સાંજે હવામાન બદલાયું અને તોફાન વરસાદ સાથે કરા પડવા લાગ્‍યા. આ જોરદાર વાવાઝોડા અને વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી તો જનજીવન પણ ખોરવાઈ ગયું. બુધવારે સાંજે ઉત્તર પ્રદેશમાં આવેલા વાવાઝોડાએ ઘણી અરાજકતા સર્જી છે. કયાંક કયાંક વળક્ષો, વીજળીના થાંભલા અને દિવાલો પડી ગયા, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા અને ઘણા લોકો મળત્‍યુ પામ્‍યા. સીએમ યોગીએ અધિકારીઓને અસરગ્રસ્‍ત પરિવારોને રાહત આપવા નિર્દેશ આપ્‍યો છે. બુધવારે રાત્રે રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડાએ અરાજકતા સર્જી છે. નોઈડા, ગાઝિયાબાદ, મુરાદાબાદ, મેરઠ, અલીગઢ, બાગપત સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વાવાઝોડું જોવા મળ્‍યું છે. જોરદાર વાવાઝોડાને કારણે ઘણા જિલ્લાઓમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. ઘણી જગ્‍યાએ વળક્ષો પડી ગયા છે અને રસ્‍તાઓ બ્‍લોક થઈ ગયા છે. આ વાવાઝોડાને કારણે ૨૦ લોકોના મોત પણ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.ગોરખપુર ડિવિઝનમાં બુધવારે સવારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. ગોરખપુરના એઈમ્‍સ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું હતું જ્‍યારે તેની માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તે જ સમયે, કુશીનગરમાં બગીચામાં ઝાડ પડવાથી એક કિશોરનું મોત થયું હતું અને ઝૂંપડી નીચે દબાઈ જવાથી એક મહિલાનું મોત થયું હતું. હવામાનમાં પલટાને કારણે, મેરઠમાં બે અને અલીગઢમાં એક વ્‍યક્‍તિનું મોત થયું. સોનભદ્રમાં વીજળી પડવાથી એક છોકરી સહિત બે લોકોનું મોત થયું. ઝાંસીના રાજાપુર ગામમાં હીટ સ્‍ટ્રોકને કારણે એક વ્‍યક્‍તિનું મોત થયું. પヘમિ યુપીના બિજનૌર જિલ્લામાં વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી એક સૈનિકનું મોત થયું.

સંબંધિત સમાચાર