રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
વાવ-થરાદ17 એપ્રિલ, 2026| Super Admin

થરાદમાં કોંગ્રેસના ‘લોકશાહી બચાવો’ ધરણાથી રાજકારણ ગરમાયું

થરાદમાં કોંગ્રેસના ‘લોકશાહી બચાવો’ ધરણાથી રાજકારણ ગરમાયું

પ્રાંત કચેરીએ કોંગ્રેસના કાર્યકરોનો જમાવડો, ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગગનભેદી નારા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દખલનો આક્ષેપ, ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વાવ- થરાદ જિલ્લા મુખ્યાલય થરાદમાં કોંગ્રેસ દ્વારા ‘લોકશાહી બચાવો’ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરાદ પ્રાંત અધિકારીની કચેરી બહાર યોજાયેલા આ ધરણા કાર્યક્રમમાં વાવ-થરાદ પંથકના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો તેમજ મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધરણા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે વર્તમાન સરકાર દ્વારા લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે અને ભ્રષ્ટ અધિકારીઓ તથા વચેટીયાઓની મિલીભગતથી સામાન્ય જનતાને ન્યાય મળતો નથી.આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને સામાન્ય લોકોના કામો અટકી રહ્યા છે. તેમણે ચૂંટણીમાં દખલ કરનાર ભ્રષ્ટ અધિકારીઓ અને સંબંધિત તત્વોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી.

કોંગ્રેસે ચીમકી આપી છે કે જ્યાં સુધી જનતાને ન્યાય નહીં મળે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. થરાદ પ્રાંત કચેરી બહાર યોજાયેલા આ ધરણાએ સ્થાનિક રાજકારણમાં નવી ચંચળતા લાવી છે અને આગામી સમયમાં રાજકીય અથડામણ વધુ તેજ બનવાના સંકેતો આપી રહી છે.

ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે : કોંગ્રેસ અગ્રણી

 વાવ થરાદ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી ગીતાબેન નાઈ અને પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના ભ્રષ્ટ શાશનથી પ્રજા તોબા પોકારી ઉઠી છે. તેથી ચૂંટણીમાં હાર ભાળી ગયેલ ભાજપે પ્રશાસન અને પોલીસનો દુરુપયોગ કરી લોકશાહીની હત્યા સાથે લોકોનો મતાધિકાર છીનવ્યો છે.જેનો જવાબ પ્રજા ચૂંટણીમાં આપશે. પણ પ્રજાના હિતમાં ભાજપની ભ્રષ્ટ નીતિઓના વિરોધમાં કોંગ્રેસ આંદોલન સાથે હંમેશા અવાજ ઉઠાવતી રહેશે.

ટેગ્સ:#tharad#:Pralay Missile

સંબંધિત સમાચાર