- હોમ
- /Uncategorized
- /PM મોદી ત્રણ દેશોની પાંચ દિવસની મુલાકાતે રવાના
PM મોદી ત્રણ દેશોની પાંચ દિવસની મુલાકાતે રવાના

પીએમ મોદી આજે શનિવારે ત્રણ દેશોની મુલાકાતે રવાના થયા હતા. તેઓ 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ત્રણ દેશોના પ્રવાસે જશે. આ દરમિયાન તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.
પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોની પાંચ દિવસીય મુલાકાતે રવાના થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી પીએમ મોદી ત્રણ દેશોની મુલાકાતે જશે. પીએમ મોદી આ દરમિયાન બ્રાઝિલ, ગયાના અને નાઈજીરિયાની મુલાકાત લેશે. PM મોદી જી-20 સમિટમાં ભાગ લેવા બ્રાઝિલ જશે. વિદેશ મંત્રાલયે પણ આ મામલે માહિતી આપી હતી. તે જ સમયે, PM મોદી બ્રાઝિલમાં G-20 સમિટ દરમિયાન ઘણા વૈશ્વિક નેતાઓને પણ મળી શકે છે.
16-17 નવેમ્બરના રોજ નાઇજીરીયાનો પ્રવાસ
PM મોદી નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર 16-17 નવેમ્બરના રોજ નાઈજીરિયા જશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 17 વર્ષમાં ભારતના વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. "મુલાકાત દરમિયાન, વડા પ્રધાન ભારત અને નાઇજીરીયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવાની તકો અંગે ચર્ચા કરશે," નિવેદનમાં જણાવાયું છે.
ટેગ્સ:#india#Mumbai#national#Rakhewal#rakhewaldaily#rakhewalnews#rakhewalnewspepar#rakhewalplus#New Delhi
સંબંધિત સમાચાર
Uncategorizedવાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન
1 વર્ષ પહેલા
Uncategorizedહવે યુદ્ધમાં શાંતિ જરૂરી : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયા સાથે યુદ્ધવિરામ માટે સંમત થયા
1 વર્ષ પહેલા
Uncategorizedઅરણ્યધામ: શિક્ષણ માટે સતત કાર્યરત સંકુલ
1 વર્ષ પહેલા
Uncategorizedદિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે
1 વર્ષ પહેલા
