પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો; અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા અને પુત્રનું મોત નિપજ્યું છે. પખવાડિયા અગાઉ પિતાનું નિધન થતા અંતિમ વિધિ માટે આવેલ પુત્ર માતાને લઈ પરત લંડન જતા ઘટના બની હતી જેને લઈને મૃતકના કુટુંબીજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો જ્યારે આ પ્લેન દુર્ઘટનામાં પિતાનું અને દાદીનું મૃત્યુ થતાં પુત્ર લંડનથી પિતાની અંતિમ સંસ્કાર માટે અમદાવાદ આવશે. ઊંઝા તાલુકાના ઐઠોર ગામના વતની અને અમદાવાદ નરોડા ખાતે રહેતા કેતનભાઇ ભગવાનભાઈ પટેલ ઉ.વ ૪૦ પખવાડિયા અગાઉ તેઓના પિતાનું નિધન થતા અંતિમ વિધિ માટે અમદાવાદ આવ્યા હતા. પિતાની અંતિમ વિધિ પુર્ણ કરી અમદાવાદ ખાતે પોતાના ઘરેથી માતા સવિતાબેન પટેલ ઉ.વ ૭૦ સાથે પરત લંડન જઈ રહ્યાં હતા તે દરમિયાન ઘટના બનતા બન્ને જણાના મોત નીપજ્યા હતાં.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા પુત્રનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત

ટેગ્સ:#Ahmedabad#Plane crash#fatal incident#Unjha Taluka#London#Family Tragedy#Aithor Village#Mourning#Mother and Son#Last Rites#Loss of Loved Ones#Grief and Bereavement
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા દારૂકાંડમાં મોટું એક્શન: રાજ્ય પોલીસવડાએ તાલુકા PI અને જમાદારને સસ્પેન્ડ કર્યા
1 દિવસ પહેલા
મહેસાણાશિક્ષણના ધામમાં ઉત્સાહનો ઉમંગ : વિસનગરમાં સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના ‘દશાબ્દિ મહોત્સવ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા APMCમાં અજમાની બમ્પર આવક: 2300 બોરીની આવક સાથે મણના ભાવ ₹2600 સુધી પહોંચ્યા
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં વિદેશ મોકલવાના નામે ₹83 લાખની છેતરપિંડી કરનાર એજન્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી
1 દિવસ પહેલા
