અત્રે નોંધનીય બાબત છે કે સમગ્ર ગુજરાતમાં ભૂતકાળમાં અનેક કોલેજોમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓના આપઘાતના બનાવો બનેલા છે. આવા બનાવોમાં આત્મહત્યા પાછળના કારણો, તથ્યો અકબંધ રહેતા હોય છે. જેના કારણે ફક્ત માતા-પિતાએ વ્હાલસોયા વારસદાર ગુમાવવાની કરુણ વેદના અને આક્રંદ જ જીવિત રહેતા હોય છે.આવી જ કરુણ ઘટના મહેસાણા-વિસનગર હાઇવે પર બાસણા નજીક આવેલી મર્ચન્ટ કોલેજમાં બની છે જેમાં હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતી 19 વષીય વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીએ કોલેજના ખોટી રીતેના દબાણ અને કનડગતના કારણોસર હોસ્ટેલમાં જ આપઘાત કર્યો હતો.
આ બનાવને લઈ કોલેજના જવાબદાર પાંચ વ્યક્તિઓ સામે દુષપ્રેરણ કરવાની મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામા આવી છે જ્યાં આ ઘટનાના પાંચ આરોપીઓમાં પ્રોફેસર વિપક્ષી સુરેશરાવ વસાનિક, પ્રોફેસર પ્રશાંત ચાંદમલજી નુવાલ, પ્રોફેસર વાય ચંદ્રા બોસ, પ્રોફેસર ડો.સંજય રીથ અને પ્રિન્સિપાલ ડો.કૈલાસ જીંગા પાટીલ પૈકી ચાર આરોપીઓને મહેસાણા જિલ્લા કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારના રિમાન્ડ માંગવામાં આવ્યા નહોતા.જે લોકોમાં આશંકાનો વિષય બન્યો હતો. ચારે આરોપીઓને મહેસાણા સબજેલના હવાલે કરવામાં આવ્યા છે.





