રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત11 જૂન, 2025| Super Admin

એસ.ટી નિગમની સકારાત્મક પહેલ: પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત LRD પરીક્ષા માટે તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું સંચાલન

એસ.ટી નિગમની સકારાત્મક પહેલ: પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત LRD પરીક્ષા માટે તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું સંચાલન

(જી.એન.એસ) તા. 11

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ કલાક સુધી લોકરક્ષક કેડર- LRDની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સહિત કુલ ૭ કેન્દ્રો ખાતે  પરીક્ષા યોજાનાર છે. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અંદાજિત ૨.૪૮ લાખ  ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે એમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા.૧૪ જૂન ૨૦૨૫ અને તા.૧૫ જૂન ૨૦૨૫ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સેવા તથા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સમયગાળા દરમિયાન નિગમ દ્વારા બસોના એક્સ્ટ્રા સંચાલન સેવાનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો ટિકિટ કાઉન્ટર તેમજ એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે તેમ, વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.



Source link

સંબંધિત સમાચાર