વડગામડા ગામે સીપુ પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન થરાદના તાલુકાના વડગામડા ગામે સીપુ પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતો ના ઉભા પાકમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યુ હતું. તંત્રના પાપે ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. પાઇપલાઇન નાખતી વખતે ખેડૂતો પાસે અધિકારીઓએ નાણાની માંગણી કરી હોવાના ખેડૂતોના આક્ષેપો સામે આવ્યાં છે. લાગતાં વળગતા તંત્ર દ્વારા ખેડૂતને પાક નુકસાનનું વળતર આપવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે એવી ખેડૂતોની માગ ઉઠવા પામી છે. તંત્રના પાપે ખેડૂતોને નુક્સાન?: વડગામડા ગામે સીપુ લાઇનમાં ભંગાણથી લાખોનું નુકસાન રાજય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સીપુ યોજના હેઠળ ગામે ગામ તળાવો ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કૉન્ટ્રેક્ટર અને લાઇનમેનની બેદરકારીના કારણે લાખોના ખર્ચે તૈયાર થયેલી પાઇપલાઇનમાં લીકેજ થતું હોય છે. ત્યારે થરાદના વડગામડા ગામે મુખ્ય સીપુ લાઇનમાંથી આવતી પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતનું ખેતર પાણીથી ભરાઈ ગયું હતું. જેને કારણે ખેડૂતને ભારે નુક્સાન થવા પામ્યું હતું.






