હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગ બાદ શનિવારે પહેલીવાર પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અલ્લુએ તે લોકોને જવાબ આપ્યો જેઓ નાસભાગમાં માર્યા ગયેલી મહિલા અને હોસ્પિટલમાં દાખલ બાળક માટે તેને દોષી ઠેરવતા હતા. રવિવારે, પાન ઇન્ડિયા સ્ટારે ચાહકોને વિનંતી કરી કે તેઓ ઑફલાઇન અથવા ઑનલાઇન કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરે. તેણે એમ પણ લખ્યું છે કે ડિસ્પ્લે પર તેની તસવીર સાથે ખરાબ વર્તન કરનારા લોકોને પરિણામ ભોગવવા પડશે. અલ્લુ અર્જુને તેના ચાહકોને અપીલ કરી છે અને લખ્યું છે કે, 'હું મારા તમામ ચાહકોને અપીલ કરું છું કે તેઓ હંમેશાની જેમ જવાબદારીપૂર્વક પોતાની લાગણીઓ વ્યક્ત કરે અને કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા કે વર્તન ઓનલાઈન અથવા ઓફલાઈન ન કરે. જો કોઈ ફેક આઈડી વડે અપમાનજનક પોસ્ટ કરે છે અને મારા ફેન હોવાનો દાવો કરીને ફેક પ્રોફાઈલ બનાવે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું મારા પ્રશંસકોને વિનંતી કરું છું કે આવી પોસ્ટ સાથે જોડાશો નહીં.
અલ્લુ અર્જુને પોસ્ટ શેર કરી ફેક પ્રોફાઈલ બનાવે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

સંબંધિત સમાચાર
મનોરંજન‘આવારાપન 2’ની ધમાકેદાર કમાણી, ‘બંટવારા 1947’ના કલેક્શનમાં પણ ઉછાળો
2 દિવસ પહેલા
મનોરંજન‘KGF’ના યશનો ખૂંખાર અવતાર! ‘ટોક્સિક’ના 4:38 મિનિટના ટ્રેલરે મચાવ્યો ધમાલ
1 અઠવાડિયા પહેલા
મનોરંજનરોહિત શેટ્ટીને બિશ્નોઈ ગેંગની ફરી ધમકી! 20 કરોડની ખંડણી માંગી
1 મહિના પહેલા
મનોરંજનમિર્ઝાપુર મૂવીમાં 'પંચાયત' ના સચિવજી બન્યા બબ્લુ પંડિત: રવિ કિશનની ધમાકેદાર એન્ટ્રી
1 મહિના પહેલા
