GSTના નવા દરોનું નોટિફિકેશન સરકારે જાહેર કર્યુ

સામાન્ય લોકો માટે ખુશખબરી. ૨૨ સપ્ટેમ્બરથી GST દરોમાં ઘણા મોટા બદલાવ
નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે ૨૨ સપ્ટેમ્બરથી સામાન્ય લોકોને મોટી ખુશખબરી મળવાની છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નવા દરો ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આવી સ્થિતિમાં રોજિંદા વસ્તુઓથી લઈને વીમા, કાર, બાઇક અને સિમેન્ટ સુધીના ઉત્પાદનો સસ્તા થશે. હવે નાણા મંત્રાલયે નવા GST દરો સૂચિત કર્યા છે. આ સૂચના પછી રાજ્યોએ પણ તેમના સ્તર પર રાજ્ય GST (SGST)ના દરો સૂચિત કરવા પડશે. નોંધનીય છે કે, GST સિસ્ટમ હેઠળ પ્રાપ્ત થતી આવક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે.
GST કાઉન્સિલની મંજૂરી પછી ૨૨ સપ્ટેમ્બરથી નવી સિસ્ટમ હેઠળ મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર ૫ થી ૧૮ ટકાના દરે ટેક્સ લાગશે. જો કે, લક્ઝરી વસ્તુઓ પર ૪૦ ટકા ટેક્સ લાગશે, જ્યારે તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર ૨૮ ટકા GSTની સાથે એક અલગ સેસ પણ લાગશે. નોંધનીય છે કે, વર્તમાન સિસ્ટમ હેઠળ ચાર GST દર છે જેમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા છે. આ સાથે જ લક્ઝરી અને હાનિકારક ઉત્પાદનો પર અલગથી એક અલગ સેસ પણ વસૂલવામાં આવે છે.
નિષ્ણાતોનું માનવું છે કે, મોટાભાગની ચીજવસ્તુઓ પરના ટેક્સ દરોમાં ઘટાડા સાથે હવે વેપાર અને ઉદ્યોગ જગત પર આ જવાબદારી છે કે, તેઓ આ સુધારાઓનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે અને સમયસર પાલન સુનિચીતિ કરે. AMRG & Associatesના રજત મોહને જણાવ્યું કે, સરકારે સૂચનામાં સ્પષ્ટ દર સમયપત્રક જાહેર કરીને પરિસ્થિતિ સ્પષ્ટ કરે અને હવે ઉદ્યોગે તેનો ઝડપથી અમલ કરવો પડશે. આ દરમિયાન EYના ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્યું કે, દર સુધારા અંગેની સૂચના જાહેર થયા પછી કંપનીઓએ તાત્કાલિક તેમની કેન્દ્રિય વ્યવસ્થાપન પ્રણાલી (ERP) અને કિંમત નીતિઓમાં ફેરફાર કરીને ગ્રાહકોને લાભ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયજન્માષ્ટમી પહેલા મંદિરમાંથી લડુ ગોપાલ અને રાધા રાણીની મૂર્તિઓની ચોરી
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયભારત-બેલ્જિયમ વચ્ચે મોટા કરાર પર હસ્તાક્ષર
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયપાણી બોર્ડના ટેન્ડર કૌભાંડમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ, જામીન મળ્યા
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયપંજાબ SIR માંથી ભાજપ સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ ગાયબ
2 દિવસ પહેલા
