પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા.19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે.19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે. 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે.વર્ષ ૨૦૨૫ ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે.આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો,વિનિયોગ વિધેયક રજૂ થશે.આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.
નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાત ATSની મોટી કાર્યવાહી: 'ગઝવા-એ-હિંદ'નું કાવતરું ઘડતા 2 કટ્ટરપંથી ઝડપાયા
1 દિવસ પહેલા
ગુજરાતસુરત ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-સુરત હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો, AAP સાથે જોડાયેલ CCTV ફૂટેજ સામે આવ્યા
3 દિવસ પહેલા
ગુજરાતધંધુકામાં યુવકની હત્યા બાદ તણાવ વધ્યો, બે સમુદાયો વચ્ચે અથડામણ, શહેરમાં આગચંપી અને કડક પોલીસ બંદોબસ્ત
3 દિવસ પહેલા
ગુજરાતજીમ ટ્રેનરે ઉદ્યોગપતિની પત્ની સાથે મિત્રતા કરી, બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયાની માંગણી કરી
6 દિવસ પહેલા
