પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા.19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે.19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે. 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે.વર્ષ ૨૦૨૫ ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે.આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો,વિનિયોગ વિધેયક રજૂ થશે.આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.
નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે

સંબંધિત સમાચાર
ગુજરાતભાવનગરના ખેડૂતે કરી કમાલ! અવોકાડોની ખેતીથી લાખોની કમાણી | Avocado Farming Gujarat
3 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં છઠ પૂજા માટે ખોદવામાં આવેલા ખાડામાં બે માસુમો પડી જતા બંનેના મોત
4 દિવસ પહેલા
ગુજરાતઅમરેલીમાં દર્દી બીમાર થતા JCB દ્વારા હોસ્પિટલમાં પહોંચાડયો
6 દિવસ પહેલા
ગુજરાત2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં હાઇકોર્ટનો ચુકાદો, 38 આતંકવાદીઓને ફાંસીની સજા યથાવત
6 દિવસ પહેલા
