- હોમ
- /Uncategorized
- /ગૃહમંત્રીની ઓફિસ સામેના મોલમાં લાગી ભીષણ આગ, બે બાળકીઓના મોત
ગૃહમંત્રીની ઓફિસ સામેના મોલમાં લાગી ભીષણ આગ, બે બાળકીઓના મોત

સુરતના પોશ વિસ્તારમાં આવેલા સિટીલાઈટ રોડ પર આવેલા ફોર્ચ્યુન મોલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોલના ત્રીજા માળે સ્થિત અમૃતયા સ્પા અને જીમમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે સ્પામાં કામ કરતી બે મહિલાઓના શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા.
તમને જણાવી દઈએ કે આ મોલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
અગ્નિશામકોએ જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ ક્ષણોમાં તે આખા સ્પામાં ફેલાઈ ગઈ અને ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા ઉભરાઈ ગયા, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. આગમાં ફસાયેલી મહિલાઓને બચાવવા માટે ફાયર ફાઇટરોએ લોડર ક્રેનની મદદથી મોલના વેન્ટિલેટરના કાચ તોડીને અમૃતયા સ્પામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી જહેમત બાદ તેઓ સ્પામાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા અને ફસાયેલી મહિલાઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્પામાં હાજર બે મહિલાઓના ધુમાડાના કારણે ગૂંગળામણના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
સંબંધિત સમાચાર
Uncategorizedવાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન
1 વર્ષ પહેલા
Uncategorizedહવે યુદ્ધમાં શાંતિ જરૂરી : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયા સાથે યુદ્ધવિરામ માટે સંમત થયા
1 વર્ષ પહેલા
Uncategorizedઅરણ્યધામ: શિક્ષણ માટે સતત કાર્યરત સંકુલ
1 વર્ષ પહેલા
Uncategorizedદિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે
1 વર્ષ પહેલા
