દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ તરફથી કાયદો અને વ્યવસ્થાને લઈને એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. ભાભર તાલુકાના મોતીસરી ગામના એક વ્યક્તિની કરપીણ હત્યાના ગુનામાં અદાલતે ચાર આરોપીઓને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વર્ષ ૨૦૨૩ ના માર્ચ મહિનામાં મોતીસરી ગામના પાંચાભાઈ ઠાકોર નામના વ્યક્તિને આડા સંબંધોની શંકા રાખીને આરોપીઓ દ્વારા સુરેશભાઈના ઘરે લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ પાંચાભાઈને પ્રથમ ભાભર, ત્યારબાદ ધારપુર અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકની પત્ની અજીબેન ઠાકોરે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પી.એસ.આઈ. એન.વી. રહેવરે કાયદેસરની તપાસ હાથ ધરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચકચારી કેસ દિયોદરના એડિશનલ સેશન્સ જજ આર.ડી. પાંડેયની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ ડી.વી. ઠાકોરની ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે ચારેય આરોપીઓ- સુરેશ ઠાકોર, દશરથજી ઠાકોર, ચંદુજી ઠાકોર અને રણછોડજી ઠાકોરને આઈ.પી.સી. કલમ-૩૦૨ હેઠળ દોષિત જાહેર કરી આજીવન કેદ અને કુલ ₹૩૨,૦૦૦ ના દંડની સજા સંભળાવી છે. કોર્ટના આ કડક વલણને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભાભરના મોતીસરી મર્ડર કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી દિયોદર કોર્ટ

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરમાં વરસાદી માહોલ વચ્ચે માનસિક અસ્થિર યુવાન મળી આવ્યો, સુરક્ષા માટે અપના ઘર આશ્રમમાં ખસેડાયો
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ખેતરો બેટમાં ફેરવાતા પાક બરબાદ, ખેડૂતો દ્વારા વળતરની માંગ
2 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્: મંત્રી સ્વરૂપજીના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ
4 દિવસ પહેલા
વાવ-થરાદમેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: દિયોદરમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
5 દિવસ પહેલા
